રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય , રેપો રેટ 6.50 ટકા પર યથાવત્ હોમ લોનના ઈએમ આઈ પર કોઈ ફેર નહીં પડે ,
આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. RBIના ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર 6.50 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.
અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનિટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને ‘રેપો’ તરીકે ઓળખવામાં આવે છે.” આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે.
આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. RBIના ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે. આ ઇન્ફ્લેશન ટ્રેન્ડને નિયંત્રિત કરવા અને માર્કેટ લિક્વિડિટી જાળવવામાં આરબીઆઈ માટે એક મુખ્ય સાધન છે. રેપો દર અને ફુગાવાને વ્યસ્ત રીતે સંબંધિત છે, કારણ કે જ્યારે રેપો દર વધે છે, ફુગાવાને ઘટાડે છે અને તેનાથી વિપરીત છે. તે હોમ લોન, પર્સનલ લોન અને બેંક ડિપોઝિટ દરોના વ્યાજ દરોને પણ અસર કરે છે.