ભારતે તેનાં પ્રથમ અવકાશ ડોકીંગ પ્રયોગ માટે બે નાનાં ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂક્યાં, ચંદ્ર પર માનવસહિત મિશન હાથ ધરવાની દેશની મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટેનું એક મુખ્ય પગલું છે ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે, ભારત એક સ્પેસ પાવર બને. ગયાં વર્ષે ભારતે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પહોંચી અન્ય રાષ્ટ્રોને હરાવ્યાં હતાં, હવે ભારત 2025 માં અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાનું લક્ષ્ય રાખે છે.

ભારતે તેનાં પ્રથમ અવકાશ ડોકીંગ પ્રયોગ માટે બે નાનાં ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂક્યાં, જે તેનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની અને ચંદ્ર પર માનવસહિત મિશન હાથ ધરવાની દેશની મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટેનું એક મુખ્ય પગલું છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે સોમવારે લોન્ચ કર્યા પછી એક સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક ડોકીંગ પ્રયાસ 7 જાન્યુઆરી સુધીમાં થઈ શકે છે.
તેમણે કહ્યું કે, “આ મિશન પૃથ્વી પરથી વૈશ્ર્વિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સમર્થન વિના ચંદ્રયાન-4 જેવાં ભવિષ્યનાં ચંદ્ર મિશન માટે જરૂરી સ્વાયત્ત ડોકીંગ માટે મહત્વપૂર્ણ હશે , આ ટેક્નોલોજી ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓ માટે જરૂરી છે.
જેમ કે ચંદ્ર પર ભારતીય, ચંદ્ર પરથી નમૂનાનું લેવા ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું નિર્માણ અને સંચાલન વગેરે માટે આ જરૂરી છે.” જો આ સફળ થશે તો ભારત ટેક્નોલોજીમાં નિપુણતા મેળવવામાં અમેરિકા, રશિયા અને ચીન સાથે જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે, ભારત એક સ્પેસ પાવર બને. ગયાં વર્ષે ભારતે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પહોંચી અન્ય રાષ્ટ્રોને હરાવ્યાં હતાં, હવે ભારત 2025 માં અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાનું લક્ષ્ય રાખે છે.
તે સૂર્યનો અભ્યાસ કરતાં દેશોમાંનો એક છે. મોદીની સરકારે વિદેશી કંપનીઓને ઉત્પાદન એકમો અને સેટેલાઇટ સેવાઓમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે અને ભારતની સ્પેસ એજન્સી સમગ્ર વિશ્વમાં સાથીઓ સાથે ભાગીદારી કરી રહી છે.