ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે
ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થાય તેવા કિસ્સાઓમાં ચૂકવાતી સહાયમા વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓના હવે ચાલુ ફરજે મૃત્યુના કિસામા 14 લાખ જેટલી સહાય ચૂકવાશે.

ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ST વિભાગના કર્મચારીઓના હિતમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થાય તેવા કિસ્સાઓમાં ચૂકવાતી સહાયમા વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓના હવે ચાલુ ફરજે મૃત્યુના કિસામા 14 લાખ જેટલી સહાય ચૂકવાશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી આ અંગે મોટી જાહેરાત કરી છે.
મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, એસ. ટી. નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય ! રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.