જાણવા જેવું

પુલવામાનો માસ્ટર માઈન્ડ, 40 જવાનોનો હત્યારો ‘લફરા’વાળા ફોનથી પકડાયો ,

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા ભીષણ આતંકી હુમલાની આજે 6ઠ્ઠી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે થયેલા હુમલામાં દેશના 40 વીર સપૂતો શહીદ થયાં હતા અને શોકના આ દિવસે આજે આખા દેશની આંખો ભીની છે

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા ભીષણ આતંકી હુમલાની આજે 6ઠ્ઠી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે થયેલા હુમલામાં દેશના 40 વીર સપૂતો શહીદ થયાં હતા અને શોકના આ દિવસે આજે આખા દેશની આંખો ભીની છે, ત્યારે આજે વાત કરવી છે 40 જવાનોના બે હત્યારાની, જેમાંથી એક માસ્ટર માઈન્ડ અને બીજો આત્મઘાતી હુમલાખોર હતો. આત્મઘાતી હુમલાખોરના તો હુમલામાં ફૂરેચા-ફૂરચાં ઉડી ગયા હતા પરંતુ હુમલા બાદ માસ્ટર માઈન્ડ ગણાતો આતંકી આશિકીના ચક્કરમાં ફસાયો અને તેને કારણે જ તે ભારતીય એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો અને આ રીતે આખું કાવતરું ખુલ્યું હતું. માસ્ટર માઈન્ડે તેના આકાનું કહેલું, ‘હુમલા બાદ ફોન તોડીને ઝેલમ નદીમાં નાખી દેજે’, ન માન્યું અને પ્રેમિકાના ફોટા-વીડિયોને કારણે ફોન સાચવી રાખ્યો જે કડી દર કડી જોડતાં એજન્સીઓના હાથમાં આવી ગયો અને આખા કાવતરાનો પર્દાફાશ થયો હતો.

13 ફેબ્રુઆરી 2019, જમ્મુ અને કાશ્મીરનો પુલવામા જિલ્લો, અહીંના હાજીબલ વિસ્તારનો એક યુવાન થોડે દૂર સ્થિત જમ્મુ-શ્રીનગર હાઇવે પાસે પહોંચે છે. ત્યાં તેણે જે જોયું તેનાથી તેની આંખો પહોળી થઈ ગઈ. તે પાછળ ફરીને ઝડપથી પાછળ ચાલ્યો ગયો. તે એક ઘરમાં ગયો અને ત્યાં બેઠેલા કેટલાક લોકોને કહ્યું – ‘હાઇવેની સુરક્ષા માટે સીઆરપીએફ તૈનાત છે.’ તૈયાર થઈ જાઓ, કાફલો આવવાનો જ છે. આ 20 વર્ષના છોકરાનું નામ શાકિર બશીર હતું.

બીજા દિવસે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યે, શાકિર વાદળી કારમાં તેના ઘરેથી નીકળે છે. ડ્રાઇવરની બાજુની સીટ પર બીજો એક યુવાન બેઠો હતો તેનું નામ આદિલ અહેમદ ડાર હતું અને તે 20 વર્ષનો હતો. કાર ઝેલમ જેલમ નદી પરના એક નાના પુલ પરથી પસાર થઈ. આદિલ સતત કુરાનની આયતો વાંચી રહ્યો હતો. સાડા ​​દસ વાગ્યે ગાડી એવી જગ્યાએ પહોંચી જ્યાંથી જમ્મુ-શ્રીનગર હાઇવે દેખાતો હતો. શાકિરે ગાડી રોકી અને બંને બહાર નીકળીને સામસામે ઊભા રહ્યા. ઠંડી હતી, પણ આદિલ ડારના ચહેરા પર પરસેવાના બિંદુ દેખાતા હતા. તેણે પોતાના કાંડા પરથી ઘડિયાળ કાઢીને શાકિર બશીરને આપી અને કહ્યું , ‘આ તમને હંમેશા મારી યાદ અપાવશે, મને દુઆઓમાં યાદ રાખજો, અલ્લાહ હાફિઝ. આદિલ ડ્રાઇવિંગ સીટ પર બેઠો, ચાવીઓ ફેરવી, પોતાનું જેકેટ ઊંચક્યું અને પિસ્તોલ તેની જગ્યાએ છે કે નહીં તે તપાસ્યું. આ પછી, તે શાકીરને ત્યાં છોડીને શ્રીનગર હાઇવે પર ગાડી ચલાવીને ચાલ્યો ગયો.

આદિલ અને શાકિબ ઘટનાસ્થળેથી થોડે દૂરના પુલ પર રોકાયા તે દરમિયાન જમ્મુથી 78 વાહનો (જેમાં 2547 જવાનો હતા)નો એક મોટો કાફલો શ્રીનગર જવા ઉપડ્યો હતો. જમ્મુથી કાશ્મીર જતી વખતે કાઝીગુંડા (જ્યાંથી ખીણ વિસ્તાર શરુ થાય છે) પર સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી હાઇવે હાજર હોય છે અને તે સુરક્ષિત રીતે સીઆરપીએફનો કાફલો પાસ કરાવી દેતી હોય છે તે દિવસે જ્યારે CRPF કાફલો કાઝીગુંડા ખાતે થોડીવાર માટે રોકાયો, ત્યારે તેલંગાણાના હવાલદાર વાસુદેવ, જે બસ નંબર પાંચમાં બેઠેલા હતા, નીચે ઉતરી ગયા. અચાનક કાફલાની આગળ ચાલવા લાગતાં તેઓ દોડ્યાં પણ તેમાં ન બેસી શક્યા અને પાછળથી આવતી બીજા વાહનમાં બેઠા (તેમને ખબર નહોતી કે 5નંબરથી બસમાં ઉતરી જવાથી તેમનો જીવ બચી જશે)

બપોરે લગભગ 3 વાગ્યે કાફલો જમ્મુ-શ્રીનગર હાઇવે પર પુલવામાના અવંતીપુરામાં પસાર થતો હતો, શ્રીનગર અહીંથી લગભગ અડધા કલાકની મુસાફરી હતી. પછી અચાનક કાફલાના કેટલાક સૈનિકોએ જોયું કે એક વાદળી કાર ઝડપથી આગળ વધી રહી હતી, જે કાફલાની બસોને ઓવરટેક કરી રહી હતી. આ એ જ કાર હતી જે આદિલ અહેમદ ડારે થોડીવાર પહેલા કાઢી હતી. કાર અચાનક CRPF કાફલાની બે બસો વચ્ચે આવી ગઈ. સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટીના સબ ઇન્સ્પેક્ટર મોહન લાલ હાઇવે પર તૈનાત હતા. કંઈક ખોટું છે તે સમજવામાં તેને વધુ સમય લાગ્યો નહીં. તેમણે રાઇફલ ઉપાડી, લોડ કરી અને કાર તરફ તોડ્યાં પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું આદિલ ડારે કાર પાંચ નંબરની બસ સાથે અથડાવી દીધી અને ધ્રૂજતા હાથે સ્ટીયરિંગ નીચે લાલ સ્વીચ દબાવી દીધી. સ્વીચ દબાવતાની સાથે જ કારની પાછળ રાખેલા 200 કિલો વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો અને 5 નંબરની બસના ફુરચે-ફૂરચા ઉડી ગયા. કોન્સ્ટેબલ ગુરુ, સુખજિંદર અને પ્રદીપ સહિત ઓગણચાલીસ કોન્સ્ટેબલોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રોડ ઓપનિંગ પાર્ટીના મોહનલાલે પણ દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. જમ્મુથી CRPF કાફલાની પાંચમી બસમાંથી ઉતરી જનાર હવાલદાર વાસુદેવ જ બચ્યાં હતા અને 5 નંબરની બસમાં રહેલા 40 જવાનો શહીદ થયાં હતા.

પુલવામા હુમલાની તપાસ NIAના જમ્મુ કાશ્મીરના પ્રમુખ રાકેશ બલવાલને સોંપાઈ હતી. તેમને ઘટનાસ્થળેથી દળી કારના ચેસિસ અને એન્જિનના ટુકડા મળ્યાં હતા. હુમલાના ચાર દિવસ પછી, 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ, મારુતિ કંપનીના એન્જિનિયરોની એક ટીમ પુલવામા પહોંચી હતી અને બેચ નંબર મેળવીને તપાસ કરતાં જણાયું કે ઈકો કાર છ વખત વેચાઈ ગઈ હતી અને રાકેશ બલવાલને જાણ કરવામાં આવી ત્યાર બાદ બલવાલ એક પછી એક માલિકો સુધી પહોંચ્યાં હતા અને સૌથી છેલ્લે કાર ખરીદનાર સજ્જાદ ભટ્ટ નામનો વ્યક્તિ હતો. આટલું બન્યાં બાદ રાકેશ બલવાલે હુમલાના સ્થળથી માત્ર 250 મીટર આગળ જમીનમાં બર્ફિલા કાદવમાં ખૂંપી ગયેલી ચાવી અને થોડાક હાંડકાં જોયા તપાસ કરતાં હાડકાં આતંકી આદિલ ડારના માલૂમ પડ્યાં. હવે સ્પષ્ટ થઈ ગયું કે કાર એક કાશ્મીરી, આદિલ અહેમદ ડાર ચલાવી રહ્યો હતો. અને તેણે જ હુમલો કર્યો.

17 જુન 2019ના દિવસે હુમલામાં વપરાયેલી કાર ખરીદનાર વ્યક્તિ સજ્જાદ ભટ્ટની ઓળખ થઈ ગઈ. તે અનંતનાગના એક ઘરમાં એક આતંકવાદી સાથે છુપાયેલો હતો. તેણે શરણાગતિ સ્વીકારી નહીં અને માર્યો ગયો. સજ્જાદના મૃત્યુ પછી, પુલવામા તપાસ ફરીથી બંધ કરી દેવામાં આવી. આ હુમલાને પાકિસ્તાન સાથે જોડતી કોઈ કડી સ્થાપિત થઈ શકી નથી. ઓક્ટોબર 2019 ની શરૂઆત હતી. રાકેશ બલવાલ કાશ્મીરના નૌગામ પહોંચ્યા. તેમને ખબર પડી હતી કે 29 માર્ચ, 2019 ના રોજ નૌગામમાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેણે બંને આતંકવાદીઓના ફોટા જોયા, એકનું નામ કામરાન હતું અને બીજાનું ઈદરિશ ભાઈ. રાકેશ બલવાલને ઈદરિશ ભાઈનો મોબાઈલ મળી આવ્યો અને તેમણે તેને તપાસ માટે CERT અઠવાડિયા બાદ તેમને કહેવામાં આવ્યું કે ફોનમાંથી કેટલાક ફોટા અને વીડિયો મળ્યાં છે. ફોનમાં ઘણા ફોટા અને વીડિયો પણ હતા. જે ઘરમાંથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં પાર્ક કરેલી વાદળી ઇકો કારનો ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. જે ઘરમાં આ કાર પાર્ક કરેલી હતી તે ઘર શાકિર બશીરનું હતું. એ જ શાકિર બશીર જેને આદિલ ડારે હુમલા પહેલા પોતાની ઘડિયાળ આપી હતી. મોબાઇલમાં બીજો એક ફોટો મળી આવ્યો હતો જેમાં ત્રણ લોકો હતા – શાકિર બશીર, નૌગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ઈદરિશ ભાઈ અને પુલવામા હુમલાખોર આદિલ અહેમદ ડાર.

શાકિરે ઘટસ્ફોટ કરતાં કહ્યું કે ઈદરિશ ભાઈ અસલમાં ઉમર ફારૂક હતો અને તે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો સગો ભત્રીજો હતો અને તે 1999માં ભારતીય વિમાનને હાઇજેક કરનારા આતંકવાદીઓમાંના એકનો પુત્ર પણ હતો. ઉમરે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનમાં તાલીમ લીધી હતી જે પછી મસૂદ અઝહરે તેને કાશ્મીર મોકલી દીધો હતો. આ ઉમર ફારુકે જ પુલવામા હુમલાનું આખું કાવતરું ઘડ્યું હતું. તેણે આદિલ ડારને હુમલા માટે તૈયાર કર્યો હતો. પુલવામા હુમલા પછી પાકિસ્તાનમાં બેઠેલો મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગરે ભત્રીજા ઉમર ફારુકને ફોન તોડીને ઝેલમ નદીમાં ફેંકી દેવાનું કહ્યું પરંતુ ઉમર ફારુક આ માટે તૈયાર નહોતો કારણ કે ફોનમાં ઈંશા જાન અને બીજી છોકરીઓના ફોટા અને વીડિયો હતા અને પોતાનો પ્રેમ નષ્ટ થઈ જશે તે જાણીને તેણે ફોન ન તોડ્યો અને બીજો ફોન તોડીને ફોટો કાકા અસગરને મોકલ્યો પરંતુ સાચો ફોન તેણે છુપાવી દીધો હતો જે ફરતાં ફરતાં એનઆઈએના હાથમાં આવી ગયો હતો અને આખો મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

ભારતે 1999ના કંધાર વિમાન અપહરણના બદલામાં છોડેલા કુખ્યાત આતંકી મસૂદ અઝહરે પાકિસ્તાનમાં જૈશે એ મોહમ્મદ નામનું આતંકી સંગઠન ઊભું કર્યું હતું અને તેણે જ પુલવામા હુમલો કરાવ્યો હતો. આ માટે તેણે તેના ભાઈ અસગર, ભત્રીજા શાકિરની સહાયથી આખું કાવતરું ઘડ્યું હતું ત્યાર બાદ શાકિરે પુલવામા 20 વર્ષીય યુવાન આદિલ ડારને આ આત્મઘાતી કામ માટે તૈયાર કર્યો હતો અને આખું કાવતરું પાર પડ્યું હતું જેમાં દેશના 40 હોનહાર જવાનોએ શહાદત વહોરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button