રાજ ઠાકરેએ કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું તે ત્રિવેણી સંગમના પાણી માટે કહ્યું ‘હટ હું આ પાણી નહી પીઉં ,
રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું હતું.કે મુંબઈમાં પક્ષની બેઠક હતી ત્યારે કેટલાક પદાધિકારીઓ બેઠકમાં હાજર નહોતા રહ્યા. ત્યારબાદ મીટિંગમાં હાજર ન રહેવાનું કારણ પુછયું તો બીમારી અમુકતમુક કારણો આપ્યા:

બાળાસાહેબની શિવસેનામાંથી અલગ થઈને 19 વર્ષ પહેલાં પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની સ્થાપના કરનારા રાજ ઠાકરેએ ગઈ કાલે પક્ષના સ્થાપના દિવસે પુણેના ચિંચવડમાં આયોજિત કાર્યક્રમમાં કુંભમેળામાં કરોડો શ્રદ્ધાળુઓએ કરેલા પવિત્ર સ્નાન અને ગંગાજળની મજાક ઉડાવી હતી.
રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું હતું.કે મુંબઈમાં પક્ષની બેઠક હતી ત્યારે કેટલાક પદાધિકારીઓ બેઠકમાં હાજર નહોતા રહ્યા. ત્યારબાદ મીટિંગમાં હાજર ન રહેવાનું કારણ પુછયું તો બીમારી અમુકતમુક કારણો આપ્યા: પણ પાંચ-છ જણે કહ્યુ કે તેઓ કુંભમાં ગયા હતા.આ સાંભળીને મે તેમને કહ્યું હતું. કે હટ હું આ પાણી નહીં પીઉં
પાપ શા માટે કરો છો? કુંભમાં તેમણે સ્નાન કર્યું હતું કે નહીં એ પણ પુછયું હતું.અમારા બાળા નાંદગાંવકર કમંડલમાં પાણી લઈને મારી પાસે આવ્યા હતાં. મેં કહ્યુ હતું કે હટ, હું આ પાણી નહી પીઉં, મેં સોશ્યલ મીડિયામાં કુંભમાં સ્નાન કરવા ગયેલી મહિલાઓ અને પુરુષોને શરીર ઘસતા જોયાં હતા.
બાળા નાંદગાવકરે આવું પાણી મને પીવાનું કહ્યું હતું.કોણ પીશે આવું પાણી?કોરોના મહામારી આવી હતી.એની સાથે કોઈને કંઈ લેવાદેવા નથી.બે વર્ષ મોઢા પર માસ્ક પહેરીને ફર્યા અને કુંભમાં જઈને સ્નાન કરે છે. મેં અનેક સ્વિમિંગ-પૂલ જોયા છે. જે ઉદ્ઘાટન વખતે બ્લુ હતા