જાણવા જેવું
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન ; આવા લોકોને સરકારે ફાંસીની સજા આપી દેવી જોઈએ ,
હનુમાન જયંતીની શોભાયાત્રામાં થયેલી હિંસાને લઈને બાગેશ્વર બાબાનું મોટું નિવેદન
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
સોમવારે તેમણે કહ્યું હતું કે, ‘ગુનામાં બનેલી ઘટના નિંદનીય છે. હિન્દુઓને ડરાવવા માટે વિશેષ ધર્મના લોકો પોતાના ધર્મનો ખૌફ બનાવવા માટે આ પ્રકારના કામોને પ્રાયોજિત રીતે કરી રહ્યા છે.
કોઈની પણ આસ્થા પર પથ્થર ફેંકવાથી આ વાતની જાણ થાય છે કે, એવું કરનારા લોકો ન તો માણસ કહેવા લાયક છે અને ન તો તેઓ જીવવા લાયક છે.
એવા લોકોને ભારત સરકારે ફાંસીની સજા આપી દેવી જોઈએ, ભલે તે વ્યક્તિ કોઈ પણ પરંપરાને માનતી હોય.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવને અપીલ કરું છું કે આવા લોકોના ઘરો પર બુલડોઝર ચલાવી દેવું જોઈએ.’
Poll not found



