જાણવા જેવું

રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા ; જૈન સમુદાય દ્વારા વિશાળ રેેલી યોજાઇ ,

આ ઘટના સામે ભારે નારાજગી વ્યક્ત કરતા અમદાવાદમાં પણ જૈન સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આક્ષેપ કરાયો કે જૈન સમાજના સાધુ-સાધ્વીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે

તાજેતરમાં જ રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ સુરતમાં જૈન સમુદાય દ્વારા વિશાળ રેેલી યોજાઇ હતી..જેમાં માગ કરવામાં આવી હતી કે વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા માટે જરૂરી પગલા લેવામાં આવે.

આ ઘટના સામે ભારે નારાજગી વ્યક્ત કરતા અમદાવાદમાં પણ જૈન સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આક્ષેપ કરાયો કે જૈન સમાજના સાધુ-સાધ્વીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જૈન સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આ એક સુનિયોજિત આયોજન છે.

તેમણે કહ્યું કે હાઇવે પર જૈન સાધુઓ વિહાર કરતા હોય ત્યારે જ તેમની હત્યા કરવામાં આવે છે. રાજ્ય સરકારે SITની રચના કરી પરંતું તેનું કોઇ પરિણામ ન આવ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર SIT ની રચના કરીને તપાસ કરે..તેમણે એમ પણ કહ્યું કે પગદંડી બનાવાઇ છે પણ કાળજી રાખવામાં આવતી નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button