ગુજરાત

અમદાવાદ ની આજની પ્લેન દુર્ઘટના માં ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાદુઃખદ અવસાન થયું છે ,

પરિવાર સાથે સમય વિતાવવા લંડન જઇ રહ્યા હતા લંડનથી સ્કોટલેન્ડ ફરવાનો 22 દિવસનો પ્રોગ્રામ નકકી થયો હતો ,

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના કુટુંબ સાથે જોડાવા લંડન જવાના હતા અને બપોરે 12.10 તેઓએ બોર્ડીંગ કર્યુ હતું.

તેઓની વિમાનમાં સીટ નં.2-ડી ઝોન-1માં હતી. અને તેઓએ પોતાનું સ્થાન સંભાળ્યું હતું. આજે આ વિમાન દુર્ઘટના થતા જ શ્રી રૂપાણીની એર ઈન્ડિયાની આ ટીકીટની કોપી વાયરલ થઈ છે. બપોરે મોડેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યાનું સુત્રોએ કહ્યું હતું

આ ઘટનાની જાણ થતા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે અને તેમની સલામતી માટે પ્રાર્થના પણ થવા લાગી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button