વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ ,
અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું કે, બપોરે 1.39 વાગ્યે ટેકઓફ થયા પછી તરત જ ટ્વીન એન્જિનવાળા પહોળા બોડીવાળા વિમાનના પાઇલટે 'Mayday' ડિસ્ટ્રેસ કોલ જારી કર્યો હતો, જેમાં સંપૂર્ણ ઇમરજન્સીનો સંકેત આપવામાં આવ્યો હતો. હાલમાં ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે.

ગુજરાતના અમદાવાદમાં 12 જુન ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં એક મુસાફરનો ચમત્કારી બચાવ થયો છે. સીટ 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ એક માત્ર વ્યક્તિ હતા કે જેમનો આ ક્રેશની દુર્ઘટનામાં બચાવ થયો. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પછી લાગેલી આગમાંથી તેમનો ચમત્કારિક બચાવ કેવી રીતે થયો, આ અંગે તેમણે ખુલાસો કર્યો છે.
વિમાનની ડાબી બાજુના ઇમરજન્સી દરવાજાની બાજુમાં 11A માં બેઠેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે ટેકઓફ પછી તરત જ વિમાન તૂટી ગયું હતું, અને વિમાન તૂટ્યું ત્યારે તેમની સીટ બહાર ઉછળી ગઈ હતી. પરિણામે, જયારે આખું વિમાન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું, ત્યારે આગથી તેમનો બચાવ થયો.
તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડોકટરોને કહ્યું, “વિમાન તૂટી ગયું, અને મારી સીટ ઉછળીને બહાર નીકળી ગઈ, આ રીતે હું બચી ગયો.” રમેશે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ વિમાનમાંથી કૂદી પડ્યા ન હતા, પરંતુ વિમાન તૂટી પડતાં તેમની સીટ બહાર ફેંકાઈ ગઈ હતી. તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા અને ટ્રોમા વોર્ડમાં દેખરેખ હેઠળ છે.
લંડનના ગેટવિક એરપોર્ટ માટે જતું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. 11 વર્ષ જૂનું આ વિમાન માઇલો દૂરથી પણ દેખાઈ શકાતું હતું, ટેકઓફ થયાની મિનિટોમાં જ આ વિમાન નીચે પડવા લાગ્યું હતું અને નજીકમાં આવેલી મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ વિમાનમાં આગ લાગી ગઈ અને હવામાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. વિમાન લગભગ 600-800 ફૂટ ઉપર ચઢીને લગભગ તરત જ જમીન પર પડી ગયું.
અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું કે, બપોરે 1.39 વાગ્યે ટેકઓફ થયા પછી તરત જ ટ્વીન એન્જિનવાળા પહોળા બોડીવાળા વિમાનના પાઇલટે ‘Mayday’ ડિસ્ટ્રેસ કોલ જારી કર્યો હતો, જેમાં સંપૂર્ણ ઇમરજન્સીનો સંકેત આપવામાં આવ્યો હતો. હાલમાં ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે. છેલ્લી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં શું બન્યું તે સમજવા માટે વિમાનના બ્લેક બોક્સ – ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરની પણ શોધ ચાલુ છે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન સામેલ હતા. આ સિવાય વિમાનમાં ક્રૂમાં બે પાઇલટ અને 10 ક્રૂ મેમ્બર્સ હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણી પણ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં મુસાફરોમાં સામેલ હતા, જેમનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું છે.
હોસ્પિટલમાં દાખલ વિશ્વાસ કુમારે દુર્ઘટના વર્ણવતા કહ્યું કે રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. સન્નાટો, પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હોય. અને પછી તે સીધી હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.
વિશ્વાસ કુમારે કહ્યું કે વિમાનનો જે ભાગમાં મારી સીટ હતી તે બિલ્ડિંગના નીચેના ભાગમાં અથડાઈ હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી, કદાચ ત્યાંથી કોઈ બહાર નીકળી શકે તેમ નહોતું. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની નજર સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને બધા જ બળી રહ્યા હતા. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડી સેકન્ડ વધુ મોડું થયું હોત તો કદાચ…