જાણવા જેવું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 14 દેશો પર ભારે ટેરિફ લાદીને આર્થિક દબાણનું નવા પગથિયે પગલું ભર્યું છે

ભારત પર કોઈ ટેરિફ ન લાગતા વેપાર સોદા અંગે આશાવાદ જોવા મળ્યો છે.

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 14 દેશોને પોતાની હસ્તાક્ષરિત ટેરિફ પત્રો મોકલીને વેપાર ક્ષેત્રે ભારે ધમાકો કર્યો હતો. ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મહત્ત્વના વેપાર ભાગીદારો પર સીધો અસરકારક પગલાં લેતા 25% ટેરિફ લાદી દીધો છે. જાપાન અને કોરિયા ઉપરાંત મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન, મલેશિયા સહિત કુલ 14 દેશો પર નવા ટેરિફ લાગૂ કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.

નવી ટેરિફ દરો 1 ઑગસ્ટ, 2025થી અમલમાં આવશે અને તે 25% થી 40% સુધીનો રહેશે. અગાઉ ટેરિફ લાગૂ કરવાની મુક્તિ માટે 90 દિવસનો સમય મળ્યો હતો જે 9 જુલાઈએ પૂરો થવાનો હતો પરંતુ હવે તેને વધારી 1 ઑગસ્ટ સુધી લંબાવામાં આવ્યો છે. નવા દર મુજબ મ્યાનમાર અને લાઓસ પર 40%, બાંગ્લાદેશ અને સર્બિયા પર 35%, જ્યારે થાઈલેન્ડ અને કમ્બોડિયા પર 36% ટેરિફ લાદવામાં આવ્યો છે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફ લગાવવાના નિર્ણયથી પહેલા તેમણે તમામ દેશોને મળીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓનું કહેવું છે કે અમુક દેશો સાથે સમજૂતીની શક્યતા હવે જોવા મળતી નથી, એટલે કે આવાં દેશોને હવે આપમેળે વધારે ટેરિફ ચૂકવવાનો વારો આવ્યો છે.

આ બધાની વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે કે ટ્રમ્પ સરકારે ભારત પર હજુ સુધી કોઈ ટેરિફ લાગૂ કર્યો નથી. બદલામાં ટ્રમ્પે જણાવ્યું કે ભારત સાથે વેપાર સોદો થવાની નજીક છે. તેઓએ ઉમેર્યું કે બ્રિટન અને ચીન સાથે વેપાર સોદા થયા બાદ હવે ભારત સાથે પણ નક્કી કરાર કરવા માંગે છે.

ભારત-અમેરિકા વચ્ચે ઘણા સમયથી વેપાર સોદા અંગે ચર્ચા ચાલી રહી છે, પણ અમુક મુદ્દાઓ પર મતભેદ યથાવત છે. અમેરિકા ચાહે છે કે ભારત કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે અને પોતાનું બજાર ખોલે. ઉપરાંત ઓટો અને અન્ય કેટેગરીમાં પણ ટેરિફ ઘટાડવાની માંગ છે. પણ ભારતે પોતાની શરતો સ્પષ્ટ કરી છે અને કૃષિ અને ડેરી ક્ષેત્રને સંવેદનશીલ ગણાવતાં કોઈ પણ સમજૌતી માટે નકાર આપ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button