ગુજરાત

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત માથે સંકટના વાદળ! ઉ. ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ, જ્યારે અન્ય જિલ્લામાં ઓરેન્જ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ ઓરેન્જ એલર્ટ છે. સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ દાહોદ, પંચમહાલ બરોડા છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લામાં યેલો એલર્ટ, ડાંગ, રાજકોટ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યેલો એલર્ટ, 40 કિલોમીટર પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાશે પવન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 22 થી 31 જુલાઈ વચ્ચે એક મજબૂત વરસાદી રાઉન્ડ સર્જાઈ શકે છે. તેઓએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ પશ્ચિમ દિશામાં વધી ગુજરાત તરફ વળે તેવી સંભાવનાઓ છે. આ સિસ્ટમ 25 થી 31 જુલાઈ દરમ્યાન ગુજરાત પરથી પસાર થાય અને એ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારની આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન પર સર્જાયેલા ડિપ્રેશનના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાઇ રહી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં પણ હળવો વરસાદ તથા વીજળીની ગાજવીજ સાથેના ઝાપટાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 20 જૂને કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જેથી સ્થાનિક પ્રશાસન અને નાગરિકોને જરૂરી સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી આગાહી મુજબ, 21 થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં હળવા થી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે વીજળી સાથે વાદળછાયા વાતાવરણ અને થંડર્સ્ટોર્મ એક્ટિવિટીની પણ ચેતવણી અપાઈ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. લોકોને સલામતી માટે જરૂરિયાત મુજબની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

અત્યારે ઉત્તર-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પશ્ચિમ તરફ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 20મી જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 23મી જુલાઈ માટે ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે, અને ઝાટકાની પવનગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશને કારણે વરસાદ ખેતી માટે ખૂબ લાભદાયક રહેશે. આ સમયે ખેડૂતોએ પાકનો ઉગાવ સારી રીતે યોજવો જોઈએ અને વરાપ બાદ આંતર ખેડ કરવી લાભદાયક રહેશે. 23મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સર્જાનાર વેલમાર્ક લો પ્રેશર છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ પરથી પસાર થઈ પૂર્વ ગુજરાત તરફ વળશે, જેના પરિણામે ભારે વરસાદની શક્યતા ઊભી થઈ છે. 21થી 23 જુલાઈ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે.

આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદના શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 26થી 29 જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદ પડવાની શકયતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે, જેથી ખેડૂતો માટે સચેત રહેવું જરૂરી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે દક્ષિણ ચીન નજીકના વિસ્તારોમાં સર્જાતું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં પ્રવેશીને વધુ સક્રિય બનશે. તેનો અસરકારક વરસાદી રાઉન્ડ 6 થી 10 ઓગસ્ટ અને ત્યારબાદ 15 થી 17 ઓગસ્ટ તેમજ 19 ઓગસ્ટના દિવસે પણ જોવામાં આવી શકે છે. 23 ઓગસ્ટ બાદ પર્વતીય વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button