મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા ‘મત ચોરી‘ના આરોપોને સમર્થન આપ્યું ,

શાસક પક્ષે પણ ગોટાળાની વાત કરી છે, તપાસ થાય તો 10 - 12 વર્ષના કૃત્યો ખુલ્લા પડે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા ‘મત ચોરી‘ના આરોપોને સમર્થન આપ્યું છે. પુણેમાં પાર્ટીના અધિકારીઓની બેઠકમાં રાજ ઠાકરેએ કહ્યું કે મતદાનમાં ગેરરીતિનો મુદ્દો નવો નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે 2016-17માં જ આ અંગે ચેતવણી આપી હતી.

રાજ ઠાકરેએ કહ્યું કે, તે સમયે તેઓ શરદ પવાર, સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને મળ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી, પરંતુ વિપક્ષે કોઈ નક્કર પગલાં લીધાં ન હતા. ઠાકરેએ કહ્યું હતું કે મેં ત્યારે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું.

આનાથી આ મુદ્દો વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યો હોત અને આંતરરાષ્ટ્રીય દબાણ સર્જાયું હોત, પરંતુ બધા પાછળ હટી ગયા. આજે રાહુલ ગાંધીએ ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો છે. લોકો મતદાન કરી રહ્યા છે, પરંતુ મત ઉમેદવારો સુધી પહોંચી રહ્યા નથી, તેમના મતોની ચોરી થઈ રહી છે.

મનસેના વડાએ વધુમાં કહ્યું કે 2014 થી, આ ચૂંટણીમાં ગેરરીતિનો લાભ લઈને સરકારો બનાવવામાં આવી છે. ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું- ભાજપને 132 બેઠકો મળી, એકનાથ શિંદેને 56 અને અજિત પવારને 42 બેઠકો મળી. આટલા મોટા આંકડા હોવા છતાં, ન તો વિજેતા ખુશ હતા કે ન તો હારેલા. કારણ કે આ આખો મામલો મત ગોટાળાનો હતો.

ઠાકરેએ ચૂંટણી પંચની તાજેતરની પ્રેસ કોન્ફરન્સનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સોગંદનામું લખવા કહ્યું, જ્યારે રાહુલ વિપક્ષના નેતા છે.

તે જ સમયે, ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પણ 6 બેઠકો પર ગોટાળાનો આરોપ લગાવ્યો. એટલે કે, હવે શાસક પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણી ગોટાળાની વાત કરી રહ્યા છે. છતાં ચૂંટણી પંચ ચૂપ છે, કારણ કે છેલ્લા 10-12 વર્ષનો ખેલ ખુલીને સામે આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button