ભારત

પશ્ચિમ બંગાળમાં શનિવારે 8 જુલાઈ પંચાયત ચૂંટણી યોજાવાની છે

બંગાળમાં ચૂંટણી હિંસાનો લાંબો ઈતિહાસ છે. તેથી, 8 જૂન, 2023 ના રોજ પંચાયત ચૂંટણીની જાહેરાતના દિવસથી

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 22 જિલ્લાઓમાં 63,229 ગ્રામ પંચાયતની બેઠકો, 9,730 પંચાયત સમિતિની બેઠકો અને 928 જિલ્લા પરિષદની બેઠકો પર ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં બંગાળના 5,67,21,234 (5.7 કરોડ) મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જ્યારે ચૂંટણીના પરિણામો 11 જુલાઈના રોજ આવશે. 2024માં આવનારી લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી આ પંચાયત ચૂંટણીઓને લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

બંગાળમાં ચૂંટણી હિંસાનો લાંબો ઈતિહાસ છે. તેથી, 8 જૂન, 2023 ના રોજ પંચાયત ચૂંટણીની જાહેરાતના દિવસથી, રાજ્યના ઘણા ભાગોમાંથી હિંસાના બનાવો વાણી રહ્યા છે. છેલ્લા 30 દિવસમાં હિંસક અથડામણમાં 18 લોકોના મોત થયા છે. સૌથી ખતરનાક હિંસા મુર્શિદાબાદમાં 24 જૂને થઈ હતી. અહીં થયેલા વિસ્ફોટમાં 26 વર્ષીય યુવક અલીમ શેખે જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, આ ઘટનાના માત્ર 5 દિવસ પહેલા જ 7 થી 11 વર્ષની વયના 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાળકોએ દેશી બોમ્બને રમકડું સમજીને તેની સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. ઉત્તર 24 પરગનામાં એક પ્રાથમિક શાળા પાસે 4 વધુ બોમ્બ મળી આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

30 દિવસમાં હિંસક અથડામણમાં 18 લોકોના મોત થયા  
5 જુલાઈના રોજ ઉત્તર 24 પરગણાના દેગંગામાં બોમ્બ વિસ્ફોટમાં 17 વર્ષના છોકરાનું મોત થયું હતું. કિશોર ટીએમસી કાર્યકર પરિતોષ મંડલનો પુત્ર હતો. જ્યારે 6 જુલાઈના રોજ કમલ શેખની લાશ બેલડાંગાના મહેશપુરમાં ખેતરમાંથી મળી આવી હતી. તે જ સમયે, બીરભૂમના મુહમ્મદબજારમાં ભાજપના કાર્યકર દિલીપ મહારા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. 6 જુલાઈએ જ કુચબિહારના દિનહાટામાં બદમાશોએ ભાજપના ત્રણ કાર્યકરોને ગોળી મારી દીધી હતી. તે જ દિવસે મુર્શિદાબાદના ફરક્કામાં બોમ્બ બાંધતી વખતે અને બનાવતી વખતે બે લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, 7 જુલાઈએ મતદાનના એક દિવસ પહેલા મુર્શિદાબાદના રાણી નગરમાં કોંગ્રેસ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ બાદ કોંગ્રેસ સમર્થક અરબિંદો મંડલનું મોત થયું હતું. પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર બંગાળમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે, કારણ કે રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત
ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત છે. આ કંપનીઓના 65,000 સૈનિકોને રેન્ડમ ધોરણે તૈનાત કરવામાં આવ્યા છે.485 કંપનીઓમાંથી અલીપુરદ્વારમાં 10, બાંકુરામાં 11, બીરભૂમમાં 20, કૂચબિહારમાં 28, દક્ષિણ દિનાજપુરમાં 10, દાર્જિલિંગમાં 4, હુગલીમાં 28, હાવડામાં 27. જેલપાઈગુડીમાં 5, ઝારગ્રામમાં 30, માલદામાં 30, મુર્શિદાબાદમાં 45, નાદિયામાં 31, ઉત્તર 24 પરગણામાં 35, પશ્ચિમ બર્ધમાનમાં 10, પશ્ચિમ મેદિનીપુરમાં 20, પૂર્વા બર્ધમાનમાં 33, પૂર્વા મેદિનીપુરમાં 37, પુરુલિયામાં 632 દક્ષિણ 24 પરગણા અને ઉત્તર દિનાજપુરમાં 25 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button