ગુજરાત

તોડકાંડ મામલે પોલીસની કસ્ટડીમાં 3 મહિના રહ્યા બાદ યુવરાજસિંહ જાડેજા હાલમાં જ જામીન પર બહાર નીકળ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિથી પાસ થવાના કૌભાંડમાં UGVCLના 11 કર્મચારીઓની ધરપકડ કરી હતી.

યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ઊર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી(4 જાન્યુઆરી 2021) તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડને ઉજાગર કર્યું હતું. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત.

હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન સિસ્ટમેટીક સ્કેમમાં 300+ એવા લોકો મળશે, જે વર્તમાનમાં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરીમાં “ભ્રષ્ટાચાર”થી નોકરી કરતા જોવા મળશે. આ કૌભાંડના મૂળ ખુબ ઊંડા છે. યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે.

ખાસ વાત છે કે, ગઈકાલે જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરીને ભરતી થવાના કૌભાંડમાં અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વિવિધ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 11 જેટલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉમેદવારોએ એજન્ટનો સંપર્ક કરીને 7થી 10 લાખ રૂપિયા આપીને ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી.

શું છે ભરતી પરીક્ષા કૌભાંડ?
વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (પીજીવીસીએલ) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (યુજીવીસીએલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (જીએસઈસીએલ)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી. અમદાવાદ – વડોદરા અને રાજકોટ સહિત સુરતમાં આ અંગે વિવિધ સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવા માટે એજન્ટોના મેળાપીપણામાં આખે આખી ટોળકી સક્રિય બની હતી.

આ ટોળકી દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિકોથી માંડીને કોમ્પ્યુટરના લેબ ઈન્ચાર્જને પણ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ આ મામલે મીડિયાને માહિતી આપી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button