રાષ્ટ્રીય સ્વયં સેવકના સર સંઘ ચાલક મોહન ભાગવતે ફરી વધુ એક વખત પુનરોચ્ચાર કર્યો છે કે મુસ્લિમો આપણાથી અલગ નથી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી બે દિવસના ગુજરતના પ્રવાસે છે ત્યારે સંઘવડા મોહન ભાગવત પણ આજથી સાત દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયં સેવકના સર સંઘ ચાલક મોહન ભાગવતે ફરી વધુ એક વખત પુનરોચ્ચાર કર્યો છે કે મુસ્લિમો આપણાથી અલગ નથી, તેઓ પણ આપણા છે, આ દેશ જેટલો આપણો છે એટલો એમનો પણ છે, ભાગવતે કહ્યું હતું કે સંઘ સર્વ લોકયુક્ત ભારતને મારનારો છે, અમારો પ્રયાસ રહે છે કે વધુને વધુ લોકોને સંઘની સાથે જોડીને ઉન્નત રાષ્ટ્રનો પાયો મજબૂત કરવામાં આવે તેમણે કહ્યું કે પુરા રાષ્ટ્રને એક સુત્રમાં પુરવા માટે જરુરી છે કે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરે, તેમણે દેશના બાળકોમાં સંસ્કારની કમી અંગે ચિંતા દર્શાવી હતી અને કહ્યું કે આપણા બાળકો ભારતીય સંસ્કારથી દૂર જઇ રહ્યા છે અને શિક્ષકો-માતા-પિતાઓ અને પ્રાધ્યાપકો તેની ચિંતા કરવી જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી બે દિવસના ગુજરતના પ્રવાસે છે ત્યારે સંઘવડા મોહન ભાગવત પણ આજથી સાત દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે તેઓનું આગમન થશે. તેઓ અમદાવાદ તથા સુરતમાં સંઘના કાર્યક્રમોમાં હાજરી આપશે અને આગામી બીજી ઓકટોબર સુધી રોકાણ કર્યા બાદ પરત ફરશે.