ઇઝરાયલથી વધુ 286 નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું, 18 નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા
પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના "ઓપરેશન અજય" હેઠળ 286 વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના 18 નાગરિકો પણ સામેલ છે.

પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના “ઓપરેશન અજય” હેઠળ 286 વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના 18 નાગરિકો પણ સામેલ છે.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરો આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરોમાં રાજ્યના 22 લોકો હતા.
ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે 24 કલાકનો હેલ્પલાઇન નંબર શરૂ કર્યું છે જેથી ત્યાં રહેતા ભારતીયોને તમામ પ્રકારની મદદ મળી શકે. નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે જે 24 કલાક ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયોની સ્થિતિ પર નજર રાખે છે. કંટ્રોલ રૂમ માટે ફોન નંબર 1800118797 (ટોલ ફ્રી), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988 છે. મદદ માટેનો ઈમેલ ID situation@mea.gov.in છે.
તલલ અવીવમાં ભારતીય દૂતાવાસે પણ 24-કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો +972-35226748 અને +972-543278392 જારી કર્યા છે. આ સાથે લોકોની મદદ માટે ઈમેલ આઈડી cons1.telaviv@mea.gov.in પણ જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોની સંખ્યા 18000 છે. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. ભારત પરત ફરી રહેલા લોકોને પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવી રહી છે. જો કે, દિલ્હી પરત ફર્યા પછી, નાગરિકો પોતપોતાના ખર્ચે પોતપોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે અથવા રાજ્ય સરકારો તે ભોગવે છે.



