જાણવા જેવું
પંચાગ અનુસાર આજે એટલે કે શનિવારે વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારત સહિત 20થી વધુ દેશોમાં જોવા મળશે.
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે મધ્યરાત્રી 1.06 એ શરૂ થશે ગ્રહણ બપોરે 4 વાગ્યાથી સૂતક લાગવાનું શરૂ થશે

ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવ્યું છે. આજે એટલે કે 28 ઑક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ પડશે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું છેલ્લું ગ્રહણ રહેશે જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થશે. સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ રહેશે.
- જ્યોતિષ અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે જે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગે છે.
- મેષ રાશિનાં જાતકે ભૂલથી પણ આ ગ્રહણને ન જોવું જોઈએ.
- ગ્રહણ વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ફળદાયી રહેશે જ્યારે મેષ, કન્યા, તુલા, મકર અને મીન રાશિનાં જાતકોએ સાવચેતી રાખવી પડશે.
- ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણનાં 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે.
- હિન્દૂ માન્યતા અનુસાર સૂતકકાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ વગેરે કંઈ કામ ન કરવું જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષરૂપે સતર્ક રહેવું જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન નખ કે વાળ ન કાપવા જોઈએ.
- દેવી-દેવતાઓની મૂર્તિ કે મંદિરનો સ્પર્શ ન કરવો. મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રોચ્ચાર જાપ કરી શકો છો.
- ચંદ્રગ્રહણ દરમિયાન ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ નો જાપ કરવો.
- ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું, ઘરમાં ગંગાજળ છાંટવું અને એ બાદ પૂજા-પાઠ ભોજન સહિત તમામ કાર્યો શરૂ કરી શકાય છે.
Poll not found



