ભારત

મોદી જ નહોતા ઈચ્છતા કે રામ મંદિર ઝડપથી બને ભાજપના નેતા સુબ્રમણ્યમ્ સ્વામીનો ચોંકાવનારો દાવો

રામ મંદિરના નિર્માણ માટે સુપ્રિમ કોર્ટ અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોનો આભાર માનવો જોઈએ: સુબ્રમણ્યમ્ સ્વામી

ભલે દેશના નાગરિકોનો એક મોટો હિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર પાછળ એક મહત્વપૂર્ણ પરિબળ માને છે, પરંતુ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પીએમની રામ મંદિર અંગે તેમની કાર્યશૈલીની ટિકા કરી છે. એક પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, જ્યારે રામજન્મભૂમિ કેસ સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થવાના આરે હતો ત્યારે મોદીએ તેમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટ અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને અન્ય ન્યાયાધીશોનો આભાર માનવો જોઈએ.

લાંબા સમયથી મોદી-શાહ અને ભાજપની નીતિઓના આકરા ટીકાકાર રહેલા સ્વામીએ ગુરુવારે સોશિયલ મીડિયા દ્વારા આ વાતો કહી હતી. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટની બે ટ્વીટ કરીને ચોંકાવનારો દાવો કર્યો હતો. જેમાં તેમણે અયોધ્યાની તમામ જમીન પરત કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તે પછી તેની અવગણના કરી અને તેનો ચુકાદો આપ્યો હતો. જેના માટે સુપ્રીમ કોર્ટ અને તત્કાલીન સીજેઆઈ ગોગોઈ તથા તેમના ચાર અન્ય ન્યાયાધીશોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વાસ્તવમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. રામલલાના મંદિરના ઉદ્ઘાટન પહેલા જ તેમના શહેરમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી છે.

અયોધ્યા જઈ રહેલા લોકો જ નહીં પરંતુ જે લોકો આ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહ્યા છે તેઓ પણ ઘણે અંશે માને છે કે, મંદિર મોદીના સંકલ્પ, સંકલ્પશક્તિ અને પ્રયાસોના કારણે બની રહ્યું છે.

જો કે એ પણ રસપ્રદ છે કે, આવા મોટાભાગના લોકો મોદીના ચાહક માનવામાં આવે છે. ખેર, વાસ્તવિકતા એ છે કે કોર્ટના નિર્ણયને કારણે આ ધાર્મિક સ્થળના નિર્માણનો માર્ગ મોકળો થઈ ગયો છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, આ માત્ર ભગવાન રામ અને તેમના મંદિર સાથે જોડાયેલો મુદ્દો નથી પરંતુ મોદી, તેમની છબી અને નેતૃત્વનો પણ મુદ્દો છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button