જાણવા જેવુંભારત
વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું , હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે
ભારતીય રિઝર્વ બેંકની (RBI) કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકમાં (paytm payments bank) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે
ભારતીય રિઝર્વ બેંકની (RBI) કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકમાં (paytm payments bank) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન, વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. Paytm પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. Paytm એ સોમવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે PPBLના બોર્ડ મેમ્બરનું પદ પણ છોડી દીધું છે.
Poll not found



