આગામી દિવસોમાં લોન લેવાનું વિચારી રહ્યા છો તો RBI તરફથી નિયમોમાં ફેરફાર થવાનો છે ,
1 ઓક્ટોબર પછી લોન લેશો, તો તમને નવા નિયમો હેઠળ લોન મળશે, પરંતુ આ નિયમો અમુક પ્રકારની લોન પર જ લાગુ થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી આ અંગે જાણકારી આપી છે.
જો તમે પણ આગામી દિવસોમાં લોન લેવાનું વિચારી રહ્યા છો તો RBI તરફથી નિયમોમાં ફેરફાર થવાનો છે. જો તમે 1 ઓક્ટોબર પછી લોન લેશો, તો તમને નવા નિયમો હેઠળ લોન મળશે, પરંતુ આ નિયમો અમુક પ્રકારની લોન પર જ લાગુ થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી આ અંગે જાણકારી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે, રિટેલ અને MSME લોન માટેના નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે.
RBIએ કહ્યું છે કે, બેંકે ઓક્ટોબરથી લોન લેનારને વ્યાજ અને અન્ય ખર્ચ સહિત લોન કરાર વિશે તમામ માહિતી (KFS) આપવી પડશે. આ સમયે વાણિજ્યિક બેંકો દ્વારા ખાસ કરીને લોન લેનારને આપવામાં આવેલા લોન કરારો, આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતા એકમોની ડિજિટલ લોન અને નાની રકમની લોન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવી ફરજિયાત કરવામાં આવી છે.
આ નિર્દેશ RBIના નિયમન હેઠળ આવતી તમામ સંસ્થાઓ (RE) તરફથી આપવામાં આવતી રિટેલ અને MSME ટર્મ લોનના કેસમાં લાગુ થશે. KFS એ લોન કરારના મુખ્ય તથ્યોનું સરળ ભાષામાં વર્ણન છે. તેનાથી લોન લેનારાઓને સાચી માહિતી મળશે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓ શક્ય તેટલી વહેલી તકે માર્ગદર્શિકા લાગુ કરવા માટે જરૂરી પગલાં લેશે.
1 ઑક્ટોબર, 2024 અથવા તે પછી મંજૂર કરાયેલ તમામ નવી રિટેલ અને MSME ટર્મ લોન માટે માર્ગદર્શિકા ફરજિયાત છે. આમાં વર્તમાન ગ્રાહકોને આપવામાં આવેલી નવી લોનનો પણ સમાવેશ થાય છે. આમાં લોન પર વીમા માટે વસુવામાં આવતી ફી અને પ્રોસેસિંગ ફી સહિત અન્ય તમામ પૈસાની વિગતો હશે.



