મહારાષ્ટ્ર

16 એપ્રિલના ચૂંટણી થીમ સોંગ લોન્ચ કર્યું હતું ઉદ્ધવ જૂથને કેમ્પેઈન સોંગમાંથી ‘ભવાની’ શબ્દ હટાવવા ચૂંટણી પંચની નોટિસ

ઉદ્ધવે ઠાકરેએ ચૂંટણી પંચને કહ્યું નહીં હટાવું જે કાર્યવાહી કરવી હોય તે કરો ભાજપના નેતા અનેક વખત ધર્મનાં નામે વોટ માંગ્યા, છતાં ત્યાં કોઈ કાર્યવાહી નથી કરાઈ

ચૂંટણીપંચે રવિવારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ને નોટિસ આપીને કેમ્પેઈન સોંગમાંથી “ભવાની’ શબ્દ હટાવવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ શબ્દ હિન્દુ દેવી સાથે જોડાયેલો છે. ચૂંટણીમાં આ પ્રકારના ધાર્મિક નારાનો ઉપયોગ કરી શકાય નહીં. બીજી તરફ, ચૂંટણી પંચની નોટિસ પર ઉદ્ધવ ઠાકરે નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, એ પોતાના થીમ સોંગમાંથી ‘ભવાની’ શબ્દ હટાવશે નહીં. ચૂંટણી પંચે જે કાર્યવાહી કરવી હોય એ કરે.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓ કેટલીયે વાર ધર્મના નામ પર વોટ માંગી ચુક્યા છે, પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. ચૂંટણી પંચ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર કાર્યવાહી કરે. ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે, કર્ણાટક ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ ‘જય બજરંગ બલી’ બોલીને વોટ આપવાની વાત કહી છે.

અમિત શાહે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લોકોને મફતમાં રામ મંદિરના દર્શન કરાવવાની વાત કરી હતી. આને લઈને મેં ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. મેં પૂછ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી ધર્મના નામ પર વોટ માંગે તો શું તેમની પર ચૂંટણી પંચ કાર્યવાહી કરશે, પરંતુ આજ સુધી મને એ પત્રનો જવાબ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથે ઈલેક્શન કેમ્પેઈન માટે 16 એપ્રિલે પ્રમોશન સોંગ રિલીજ કર્યું હતું, જેમાં “ભવાની’ શબ્દનો ઉલ્લેખ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button