ગુજરાત

અમિત જેઠવા હત્યા કેસ આજીવન સજા પામેલ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાતેય આરોપીને નિર્દોષ ઠરાવતી હાઇકોર્ટ

વર્ષ 2010 આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની સોલા હાઇકોર્ટ સામે જ ગોળીઓ ધરબી હત્યા થઈ હતી, જે કેસમાં દીનુ બોઘા સોલંકી, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર અને ચાર શૂટરો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો.

વર્ષ 2010 આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની સોલા હાઇકોર્ટ સામે જ ગોળીઓ ધરબી હત્યા થઈ હતી, જે કેસમાં દીનુ બોઘા સોલંકી, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર અને ચાર શૂટરો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો.

બહાદુરસિંહ વાઢેર તરફે રોકાયેલા હાઇકોર્ટના એડવોકેટ પ્રશાંત ખંઢેરિયાએ જણાવ્યા મુજબ, કેસ ચાલતા સ્વતંત્ર સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, જોકે સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલી, જેની સામે આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

જેમાં આરોપી પક્ષે થયેલી દલીલો અને રજૂ થયેલા પુરાવા ધ્યાને લઇ જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની કોર્ટે વ્યવસ્થિત પોલીસ તપાસ ન થઈ હોવાનું અવલોકન કરી સીબીઆઈ કોર્ટનો ચુકાદો રદ ઠરાવી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button