ગુજરાત

શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટનામાં 27 વ્યકિતઓના મોત થતા ભારે અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાઈ જવા પામી છે.

અગ્નિકાંડ બાદ 32 લાપત્તાનું લીસ્ટ હતું તેમાંથી 5 સુરક્ષિત મળી આવ્યા TRP અગ્નિકાંડ: 27ના મોત; કલેકટરનો રાજય સરકારને રીપોર્ટ

શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટનામાં 27 વ્યકિતઓના મોત થતા ભારે અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાઈ જવા પામી છે. આ દુર્ઘટનાનો સર્વગ્રાહી રીપોર્ટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજય સરકારના ગૃહ વિભાગના ઉપ સચિવને મોકલી દેવામાં આવેલ છે. ટીઆરપી ગેમ ઝોનના આ અગ્નિકાંડ બાદ લાપત્તા 27 વ્યકિતઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાંથી 5 વ્યકિતઓ સુરક્ષિત મળી આવેલ હતા. આ ઘટનામાં 27 વ્યકિતઓના મોત નિપજયું છે. જેમાં 24 પુરૂષો છે. જયારે 12 વર્ષથી નાની વયના ત્રણ બાળકો છે. જયારે 12 વર્ષથી વધુ વયના 21 વ્યકિતઓ છે. જે પૈકીની 6 મહિલાઓ છે. જયારે 12 વર્ષથી નાની વયની બે અને તેનાથી મોટી વયની ચાર વ્યકિતઓ છે.

આ અગ્નિકાંડમાં જે 27 વ્યકિતઓના મોત નિપજેલ છે તેમાં 6 સ્ત્રીઓ અને 15 પુરૂષોનો સમાવેશ થાય છે. જયારે 6 વ્યકિતઓને હજુ ઓળખ થઈ શકી નથી. આ ઘટનામાં 9 વ્યકિતઓને ઈજા થવા પામી છે. જેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જે પૈકીની ત્રણ વ્યકિતઓ ગીરીરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કલેકટર દ્વારા રાજયના ગૃહ વિભાગના ઉપ સચિવને કરાયેલા આ રીપોર્ટમાં ફાયર સેફટી, સ્ટ્રકચરની સેફટી સહિતની બાબતો પર પ્રકાશ ફેંકવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ ખાસ એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર મોકલવામાં આવેલ છે.

આ દુર્ઘટના ગત તા.25ને શનિવારના સાંજના 5-30 કલાકે ઘટી હતી. ત્યારબાદ 5-44 કલાકે ઈમરજન્સી 108ને જાણ કરવામાં આવતા 10 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ 40થી 50 ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે પાંચને છેતાલીસ કલાકે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તેમજ આ અગ્નિકાંડ બાદ ત્રણ હિટાચી મશીન, 10 જેસીબી, અને ચાર ડમ્પરો મારફત કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.

જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ અગ્નિકાંડ અંગેના રાજયના ગૃહ વિભાગના ઉપ સચિવને મોકલાયેલ રીપોર્ટમાં અગ્નિકાંડની તમામ વિગતો પર પ્રકાશ ફેંકવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં રાજય સરકાર દ્વારા પગલા લેવાનો દોર શરૂ કરવામાં આવેલ છે જેમાં વધુ એક નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફીસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button