વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ તંત્ર વાહકો બે દિવસમાં કાર્યવાહી નહી કરે તો જનતા રેડ કોંગ્રેસની ચેતવણી ,
શહેરની મોટા ભાગની શાળાઓ, કલાસીસોમાં ફાયર સેફટીનો અભાવ : ગેરકાયદેસર ડોમના ખડકલા ,

રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડે સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશને હચમચાવી દીધું છે! અગ્નિકાંડમાં 28થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો અનેક લોકો હજુ મિસિંગ છે ત્યારે અનેક સવાલ ઊભો થાય છે બેજવાબદાર,અને ભ્રષ્ટ તંત્રના પાપે નિર્દોષ લોકો જીવ ક્યા સુધી ગુમાવતા રહેશે ?તેવો પ્રશ્ર્નો ઉપસ્થિત થયો છે. તેમ જણાવી કોંગેસના યુવા આગેવાન રોહિતસિંહ રાજપુતે આ અંગે જણાવ્યું છે કે ભૂતકાળમા બનેલી ગોજારી ઘટનાઓમાંથી સરકાર અને વહિવટી તંત્રએ બોધપાઠ લીધો હોત તો કદાચ આ ઘટના ના બની શકી હોત પરંતુ હવે રાજ્યમાં હવે આ એક સિલસિલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
શહેરની મોટા ભાગના પ્રી-સ્કૂલો, શાળાઓ તેમજ કલાસીસોમાં ફાયર સેફટીનો અભાવ રહેલો છે.ગેરકાયદેસર ડ્રોમમાં ખડકલા ખડકાયા છે.આ પરિસ્થિતિમાં વિદ્યાથીની જીવ ઉપર જોખમ ઝળુબી રહ્યું હોય તંત્ર વાહકો દ્વારા આ મામલે કાર્યવારી કરવામાં નહી આવે તો જનતા રેડ આવી શાળાઓ અને કલાસીસો પર કરવામાં આવશે.
રોહિત રાજપુતે જણાવ્યું છે કે ગઈકાલે હાઇકોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું કે અમને ગુજરાત સરકાર અને વહિવટી તંત્ર પર ભરોષો છે જ નહી ત્યારે હવે લોકોએ પોતાના જાનમાલની સુરક્ષા માટે સ્વયં જવાબદારી સ્વીકારીને ભ્રષ્ટતંત્રને ઉઘાડા પાડી જ્યા લોકોની સુરક્ષાના પ્રશ્ને બેદરકારીઓ કે લાપરવાહી ચાલતી હોય ત્યા સબક શીખડાવવુ અતિઆવશ્યક બનીને રહેશે.
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોટાભાગના નાના ભૂલકાઓ,વિદ્યાર્થીઓ અને યુવાનો જ ભોગ બન્યા છે તે અતિદુખદ છે.સરકારે આ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવવા તેઓની માત્ર બદલી કરી દીધી અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માણી લીધો છે. રાજકોટની અનેક સ્કૂલોમા મોતના માંચડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જ્યા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ત્યાં ફાયરસેફ્ટીના નામે મીંડુ છે. વિશેષ કે જે સ્કૂલોમાં ફાયરસેફ્ટી છે ત્યા માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે એટલે કે બંધ હાલતમા છે.
અનેક સ્કૂલોમા ફાયર એનઓસી રિન્યુ કરવાનુ બાકી છે ત્યારે જીલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાથી બહાર નીકળી વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ.અમારા ધ્યાને આવ્યુ છે કે ગઈકાલે ડીઈઓએ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતોએ અહેવાલ મંગાવ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે.
તેઓને આ મામલો સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટચકર બાબતોના પુરાવાઓ આપીને ડીઈઓને ચીમક્કી આપતા જણાવાયું હતુ કે એક દિવસમાં જો આ ડોમ તમે નહી હટાવી શકો તો અમે વિદ્યાર્થી રેડ કરી આ ગેરકાયદે ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જીલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. શહેરમાં કેટલી સ્કૂલો પાસે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ છે તે માહિતી,ગેરકાયદે ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામા જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે અમે તમામ પ્રકારની ફી ભરીને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલમા મોકલીયે તેમા મારા બાળકની જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ !
વધુમા જણાવ્યું હતું.
રાજકોટમા શેરી-ગલીઓના એપાર્ટમેન્ટમાં ક્લાસીસો અને પ્રી-સ્કૂલો આવેલી છે ત્યારે મોટાભાગની પ્રી-સ્કૂલોએ કોમર્સિયલ એપાર્ટમેંટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ઊભી કરેલી હોય છે ત્યારે નાના ભુલકાઓની સુરક્ષાના પર અનેક સવાલ ઉભા થાય છે.અનેક પ્રી-સ્કૂલો રેસિડેન્સયલ મકાનોમા આવેલી છે પરંતુ ત્યા બાળકોની સુરક્ષાના મામલે તકેદારીના ભાગરૂપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે.મોટાભાગની પ્રી-સ્કૂલો કોઈપણ જાતના રજીસ્ટેશન વગર જ ધમધમે છે.
જેથી તંત્ર પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહી હોય.આ નાના ભૂલકાઓની ઉંમર 3-6 વર્ષ હોય ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી-સ્કૂલોનુ રેજિસ્ટેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવ્યા બાદ જ ચાલુ કરવા આદેશ આપવો જોઈએ. રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે જેમા સ્પર્ધામક પરીક્ષાઓના,કમ્પ્યુટ ટિચિંગ,ઈન્ટરનેશન લેન્ગવેજ, JEE-NEET,સ્કૂલોના કોચિંગ,સ્કીલ ડેવલોપમેન્ટ જેવા અનેક પ્રકારના હોય છે પરંતુ મોટાભાગના ક્લાસીસોમા ફાયરસેફ્ટીનો અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ગાડુ ગબડાવાય રહ્યું છે. અનેક ક્લાસીસો અતિ જૂના બિલ્ડીંગોમા કાર્યરત છે.આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી છે.