ભારત

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે ,

પક્ષના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાએ કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘લોકોની વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે મહત્ત્વકાંક્ષાઓ હોય છે. એટલે હું મુખ્યમંત્રી તરીકે દાવો રજૂ કરું છું.’

પક્ષના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાએ કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘લોકોની વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે મહત્ત્વકાંક્ષાઓ હોય છે. એટલે હું મુખ્યમંત્રી તરીકે દાવો રજૂ કરું છું.

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે પરંતુ ચૂંટણી પહેલા જ રાજ્યની સત્તામાં વાપસીની રાહ જોઈ રહેલી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાએ કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘લોકોની વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે મહત્ત્વકાંક્ષાઓ હોય છે. એટલે હું મુખ્યમંત્રી તરીકે દાવો રજૂ કરું છું.’

સિરસાથી લોકસભા ચૂંટણી જીત્યાના મહિનાઓ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પ્રમુખ દલિત ચહેરાએ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પોતાની ઈચ્છાનો પણ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે હું રાજ્યમાં કામ કરવા માંગુ છું પરંતુ આ મામલે અંતિમ નિર્ણય હાઈ કમાન્ડ કરશે.

કુમારી શૈલજાએ જૂથવાદની વાતોને નકારી કાઢતા કહ્યું કે ‘ચૂંટણી આવે છે ત્યારે દરેક કોંગ્રેસની છાવણી તરીકે પાયાના સ્તરે કામ કરે છે. હું ખૂબ જ વ્યવહારુ છું અને તમને ખૂબ જ સ્પષ્ટ જવાબ આપીશ. કોઈ પણ સંસ્થામાં હંમેશા તણાવ અને પોતાનું સ્થાન બનાવવાની સ્પર્ધા હોય છે. તે કોઈપણ સંસ્થાનો ભાગ છે અને હંમેશા રહેશે. મહત્ત્વકાંક્ષાઓ, કામ કરવું, પોતાનું સ્થાન બનાવવાની સ્પર્ધા આ બધું જ સામાન્ય છે, પરંતુ આ માત્ર ટિકિટ જાહેર થાય ત્યાં સુધી છે. હું એ પણ કહીશ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક વ્યક્તિ ગ્રાઉન્ડ વર્કમાં લાગી જાય છે.’  હરિયાણા કોંગ્રેસમાં અલગ અલગ છાવણીઓ એક સાથે આવશે કે કેમ આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે દરેકની પોતાની મહત્ત્વકાંક્ષા હોય છે. આ કોંગ્રેસની છાવણી છે. અંતે તો દરેક વ્યક્તિ પાર્ટી માટે જ કામ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જુદા જુદા પ્રચાર કાર્યક્રમો ચલાવતા વરિષ્ઠ નેતાઓ દ્વારા જૂથવાદની વાતને પણ નકારી કાઢતા તેમણે કહ્યું કે, આ તમામ લોકો કોંગ્રેસ માટે જ આ કરી રહ્યા છે.

કોંગ્રેસને બહુમત મળવાની સ્થિતિમાં શું તમે મુખ્યમંત્રી પદની રેસમાં છો? આ સવાલના જવાબ પર શૈલેજાએ કહ્યું કે ‘વ્યક્તિગત અને સમુદાયના લોકોની પોતાની મહત્ત્વકાંક્ષાઓ હોય છે. કેમ ના હોય. જો કે તે આખરી નિર્ણય મારો પક્ષ અને હાઈ કમાન્ડ નક્કી કરશે.’

News Click 24

Poll not found

Related Articles

Back to top button