2000 રૂપિયાની નોટ બદલવાની તક હાલમાં પણ આરબીઆઈ આ ચલણી નોટો બદલવાની સુવિધા આપી રહી છે ,
ચાલો સમજીએ કે તમારે હવે શું કરવાનું છે.
RBIએ સોમવારે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની સ્થિતિ જાહેર કરી છે. આ દર્શાવે છે કે અત્યાર સુધીમાં 97.96 ટકા નોટો પરત આવી છે. મે 2023માં 2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ જાહેરાત કરી હતી કે તેમને ક્લીન નોટ પોલિસી હેઠળ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી રહી છે. RBIએ કહ્યું કે 2000 રૂપિયાની બેન્ક નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા 07 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી. હવે 19 મે, 2023થી આ નોટો રિઝર્વ બેન્કની 19 ઈસ્યુ ઓફિસમાંથી બદલી શકાશે. તમે કોઈપણ ખચકાટ વિના આમાંથી કોઈપણ ઓફિસમાં જઈને તમારી 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.
રિઝર્વ બેન્કે કહ્યું કે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પણ આ નોટોના બદલામાં તેમના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા RBIને 2000 રૂપિયાની નોટ મોકલી રહ્યા છે. આ તેમના બેન્ક ખાતામાં જમા થઈ રહ્યા છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણય બાદ હવે માત્ર 2.04 ટકા જ બેન્ક નોટ પરત આવવાની બાકી છે. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાનું લીગલ ટેન્ડર કરવામાં આવ્યું છે.
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર મે 2023માં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. તેમાંથી અંદાજે 7261 કરોડ રૂપિયાના મૂલ્યની બેન્ક નોટો હજુ પરત આવી નથી. જો કે દર મહિને આ આંકડો ઘટી રહ્યો છે. જૂલાઈના અંત સુધીમાં બજારમાં 7409 કરોડ રૂપિયાની નોટો આવી હતી. હાલમાં પણ આરબીઆઈ આ ચલણી નોટો બદલવાની સુવિધા આપી રહી છે. ચાલો સમજીએ કે તમારે હવે શું કરવાનું છે.



