ખેડૂત સંગઠને આજે પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો દ્વારા પંજાબ બંધનું આજે 10 કલાક માટે એલાન કરવામાં આવ્યું છે ,
200 રસ્તાઓ જામ, 160 ટ્રેનો રદ, ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, એકસાથે અનેક સેવાઓ પ્રભાવિત,

ખેડૂત સંગઠનોએ આજે 10 કલાકનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે જે આજે સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ મુદ્દે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ પણ છેલ્લા 35 દિવસથી ઉપવાસ પર છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે. દરમિયાન, સવારે 7 વાગ્યે, ખેડૂતોએ પંજાબના મોહાલીમાં એરોસિટી રોડ પર જતા મુખ્ય માર્ગ અને રેલવે લાઇનને બ્લોક કરી દીધી હતી.
આ બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે પંજાબ બંધને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પડી છે જેમાં પંજાબ ટ્રાફિક પોલીસે લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે. બંધને ધ્યાનમાં રાખીને પંજાબમાં રોડ અને ટ્રેન ટ્રાફિકને ખાસ્સી અસર થઈ છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 163 ટ્રેનો રદ કરવામાં આવી છે. આખા પંજાબમાં લગભગ ચાર કલાક સુધી સરકારી બસો દોડશે નહીં. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 1 હજારથી વધુ બસોના પૈડા સંપૂર્ણ રીતે બ્લોક થઈ જશે.
- MSP પર ખરીદીની ગેરંટીનો કાયદો.
- સ્વામીનાથન કમિશન મુજબ ભાવ.
- જમીન સંપાદન કાયદો 2013 લાગુ કરવો જોઈએ.
- આંદોલનને લગતા કેસ પાછા ખેંચવા જોઈએ.
- ખેડૂતોની લોન માફ કરવી જોઈએ અને પેન્શન આપવું જોઈએ.
- સરકારે પાક વીમા યોજનાનું પ્રિમિયમ ચૂકવવું જોઈએ.
- માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને નોકરી.
- લખીમપુર ઘટનાના દોષિતોને સજા થવી જોઈએ.
- મનરેગામાં 200 દિવસનું કામ, રૂ. 700. મજૂરી.
- નકલી બિયારણ અને ખાતર પર કડક કાયદો.
- મસાલાની ખરીદી પર કમિશનની રચના.
- ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર.
- મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.