વિશ્વ

બાંગ્લાદેશ ફરી પુર્વ પાકિસ્તાન બની જશે ; કટ્ટરપંથી સંગઠન જમાત એ ઈસ્લામીના કાર્યકરો સામે વચગાળાની સરકાર નતમસ્તક ,

શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. આજે રાજધાની ઢાકામાં શહીદ મિનાર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થવાના છે.

શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. આજે રાજધાની ઢાકામાં શહીદ મિનાર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થવાના છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ આ કાર્યક્રમનો જોરદાર પ્રચાર કર્યો છે.

કહેવાય છે કે, શહીદ મિનાર પર લગભગ 30 લાખ લોકો એકઠા થશે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઝૂકી ગઈ છે. એવું કહેવાય છે કે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બપોરે 3 વાગ્યે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈ શકે છે.

આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝઘડાની શક્યતા છે. ભીડને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ, ટિયર ગેસ અથવા વોટર કેનનનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશના બંધારણમાં ફેરફાર કરવા માંગે છે.

દાવો કરવામાં આવે છે કે, તેમનો પહેલો પ્રયાસ બાંગ્લાદેશનું નામ બદલવાનો છે. કહેવાય છે કે, બાંગ્લાદેશનું નામ ’ઈસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશ’ અથવા ’ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈસ્ટ પાકિસ્તાન’ હોઈ શકે છે.

આ ઉપરાંત બાંગ્લાદેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે. બાંગ્લાદેશમાં સત્તા પર સંપૂર્ણ કબજો કરવા માટે રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ શકાય છે. મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનાવવાની પણ ચર્ચા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ’અમે બાંગ્લાદેશમાં નવું બંધારણ લાવવા માંગીએ છીએ. 1972માં તૈયાર થયેલા બાંગ્લાદેશના બંધારણને અમે  ‘મુજીબિસ્ટ ચાર્ટર’ માનીએ છીએ. અમે તેને સંપૂર્ણપણે દફનાવી દઈશું કારણ કે તેનાથી ભારતને બાંગ્લાદેશ પર શાસન કરવાની તક મળી છે.’

જો કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તેના સમર્થનમાં નથી. ખાલિદા ઝિયાના નેતૃત્વવાળી ઇગઙએ કહ્યું કે, ’જો બંધારણમાં કંઇક ખોટું છે તો તેને બદલી શકાય છે, પરંતુ બંધારણને સંપૂર્ણ રીતે નષ્ટ કરવું યોગ્ય નથી.’

News Click 24

Poll not found

Related Articles

Back to top button