ગુજરાત

ગીર સોમનાથ જીલ્લામાં ભૂકંપનાં એક પછી એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ;

જેમાં પહેલો આંચકો 7.13 મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા 2.1 ની નોંધાવા પામી હતી.

ગીર સોમનાથ જીલ્લામાં વહેલી સવારનાં સુમારે ભૂકંપનાં ત્રણ આંચકા આવવા પામ્યા હતા. જેમાં તાલાલામાં એક પછી એક ભૂકંપનાં 3 આંચકા આવતા લોકો ડરનાં માર્યા ઘરની બહાર દોડ્યા હતા. ત્યારે અચાનક ભૂકંપનાં આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં સવારનાં સુમારે ભૂકંપનાં આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. જેમાં પહેલો આંચકો 7.13 મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા 2.1 ની નોંધાવા પામી હતી.

બીજો આંચકો 7.15 મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા 1.9 નોંધાવા પામી હતી. જ્યારે ત્રીજો આંચકો 2.3 ની તીવ્રતાનો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાવા પામ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button