ભારત
કેન્દ્રની મોદી 3.0 સરન્ડર આગામી માસમાં તેના કાર્યક્રમનું 1 વર્ષ પુરુ કરી રહી છે તેની ઉજવણી કરવા જઈ રહી છે. ખાસ કરીને તેમાં સીધા લોકસંપર્ક પર ભાર મુકશે.
આવકવેરા મુક્તિથી ઓપરેશન સિંદુર સહિતના મુદા સાથે વ્યાપક જનસંપર્કનુ આયોજન

કેન્દ્રની મોદી 3.0 સરન્ડર આગામી માસમાં તેના કાર્યક્રમનું 1 વર્ષ પુરુ કરી રહી છે તેની ઉજવણી કરવા જઈ રહી છે. ખાસ કરીને તેમાં સીધા લોકસંપર્ક પર ભાર મુકશે.
કેન્દ્રીયમંત્રીઓ ભાજપના સાંસદો-ધારાસભ્યો અને સંગઠન આ તમામને સામેલ કરાશે. જેમાં 1 વર્ષમાં સરકારના નિર્ણયો અને તેના લાભો પણ રજુ કરાશે. આ સંપર્કમાં ઓપરેશન સિંદુરની ઉપલબ્ધી પણ હશે. જૂન 2024માં 9 જૂનના શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
આવતીકાલે જ દિલ્હીમાં ભાજપ અને તેના સાથી પક્ષોના મુખ્યમંત્રીઓની એક બેઠક દિવસમાં મળનાર છે. જેમાં એનડીએ સરકારના 1 વર્ષની ઉજવણીનો પ્લાન કરાશે.
જે મુદાઓ લોકો સમક્ષ રજુ કરાશે તેમાં કેન્દ્રીય બજેટમાં જે રીતે રૂા.12 લાખ સુધીની આવકવેરા મુક્તિ ઉપરાંત સરકારી યોજનાઓ રજુ કરાશે અને તેના માટે ખાસ ઝુંબેશ છેડાશે.
Poll not found