જાણવા જેવું

સાઉદી અરેબિયાએ ભારતીયો પર મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે એ અફવા છે. હકીકતમાં આ પગલું હજ સીઝન દરમ્યાન ભીડ નિયંત્રણ માટે લેવાયેલો કામચલાઉ વિઝા પ્રતિબંધ છે.

સાઉદી સરકારના આ પગલાનો હેતુ મક્કા અને મદીનામાં એવી ભીડ અટકાવવાનો છે, જેમાં ઘણા લોકો વિઝા વગર અથવા બિનઅનુમતિ સાથે હજ કરવા આવે છે.

તાજેતરમાં એવી ખોટી અફવાઓ ફેલાઈ હતી કે સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ મૂક્યો છે. જોકે, હકીકત એ છે કે સાઉદી અરેબિયાએ મુસાફરી પર કોઈ સ્થાયી પ્રતિબંધ નથી મૂક્યો. હજના વિશેષ સમયે, ખાસ કરીને ભારે ભીડ અને અનધિકૃત યાત્રાળુઓને ધ્યાને લઈ, સાઉદી અરેબિયા સામાન્ય રીતે ટૂંકા ગાળાના વિઝા, જેમ કે ઉમરાહ, બિઝનેસ અને પારિવારિક મુલાકાત માટેના વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લગાવે છે.

આ વર્ષે પણ આવું જ થયું છે. સાઉદી સરકારના આ પગલાનો હેતુ મક્કા અને મદીનામાં એવી ભીડ અટકાવવાનો છે, જેમાં ઘણા લોકો વિઝા વગર અથવા બિનઅનુમતિ સાથે હજ કરવા આવે છે. ખાસ કરીને ગયા વર્ષે ઘણાં લોકો બિનસત્તાવાર રીતે હજ પર ગયા હતા અને ભારે ગરમીને કારણે 1,300થી વધુ યાત્રાળુઓના દુઃખદ મોત થયા હતા. આવા યાત્રાળુઓ સત્તાવાર વ્યવસ્થાઓનો લાભ પણ નહીં લઈ શક્યા, જેના કારણે ભારે ગરમી જીવલેણ સાબિત થઈ હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button