જાણવા જેવું

બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકે છે, તો તે પાણી યુદ્ધ તરફ દોરી શકે છે.

વોશિંગ્ટન ડીસીમાં મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ વાત કહી. બિલાવલે ભારત પર બલુચિસ્તાનમાં દખલ કરવાનો અને બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા સંગઠનોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આશંકા વ્યક્ત કરી હતી કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળશે તો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે તેને રોકવાનો સમય નહીં હોય.

તેમણે વોશિંગ્ટન ડીસીમાં મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ વાત કહી. બિલાવલે ભારત પર બલુચિસ્તાનમાં દખલ કરવાનો અને બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા સંગઠનોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું- શું દરેક આતંકવાદી હુમલા પછી ભારત સાથે યુદ્ધ કરવું જોઈએ? પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, જે બંને દેશોના હિતમાં છે. બિલાવલે કહ્યું કે, આ વર્ષે પાકિસ્તાનમાં આતંકવાદ વધ્યો છે. જો હિંસા આ રીતે ચાલુ રહેશે તો 2025 સૌથી લોહિયાળ વર્ષ બની શકે છે.

બિલાવલે કહ્યું કે, કાશ્મીર મુદ્દાને ઉકેલ્યા વિના કાયમી શાંતિ શક્ય નથી. તેમણે પાણીનો વિવાદ પણ ઉઠાવ્યો અને ચેતવણી આપી કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકે છે, તો તે પાણી યુદ્ધ તરફ દોરી શકે છે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button