ગુજરાત
અમદાવાદ ની આજની પ્લેન દુર્ઘટના માં ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાદુઃખદ અવસાન થયું છે ,
પરિવાર સાથે સમય વિતાવવા લંડન જઇ રહ્યા હતા લંડનથી સ્કોટલેન્ડ ફરવાનો 22 દિવસનો પ્રોગ્રામ નકકી થયો હતો ,

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના કુટુંબ સાથે જોડાવા લંડન જવાના હતા અને બપોરે 12.10 તેઓએ બોર્ડીંગ કર્યુ હતું.
તેઓની વિમાનમાં સીટ નં.2-ડી ઝોન-1માં હતી. અને તેઓએ પોતાનું સ્થાન સંભાળ્યું હતું. આજે આ વિમાન દુર્ઘટના થતા જ શ્રી રૂપાણીની એર ઈન્ડિયાની આ ટીકીટની કોપી વાયરલ થઈ છે. બપોરે મોડેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યાનું સુત્રોએ કહ્યું હતું
આ ઘટનાની જાણ થતા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે અને તેમની સલામતી માટે પ્રાર્થના પણ થવા લાગી હતી.
Poll not found