હવામાન વિભાગી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.
મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારામાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.
સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. તો કાલથી બે દિવસ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. આઠ અને નવ જુલાઈએ પણ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
ક્લાઈમેન્ટ ચેન્જથી ચોમાસાનો મિજાજ બદલાયો છે. હવે એક મહિનાનો વરસાદ માત્ર એક જ દિવસમાં વરસી રહ્યો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં 13.50 ઈંચ સાથે રાજ્યમાં સરેરાશ 39 ટકા વરસાદ વરસ્યો છે. જેની સામે ગત વર્ષે 4 જુલાઈ સુધીમાં સરેરાશ 7 ઈંચ સાથે 20 ટકા વરસાદ વરસાદ વરસ્યો છે,
દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ વરસાદ યથાવત રહેશે.રાજસ્થાનના મોટાભાગના જિલ્લામાં આંધી અને વાવાઝોડા સાથે વરસાદ પડવાનું અનુમાન છે. ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહેશે.
ભારે વરસાદ અને પૂરના કારણે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી 69 લોકોના મોત થયા છે તો 110 લોકો ઘાયલ થયા છેય .ગુમ થયેલા 37 લોકોની તપાસ ચાલુ છે. ભારે વરસાદથી રાજ્યમાં 700 કરોડનું નુકસાન થયું છે. રાજ્ય સરકારે મોટાપાયે રાહત અભિયાન ચલાવ્યું છે.