રાજ ઠાકરેએ પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપે.
મરાઠીમાં પોતાની X પોસ્ટમાં રાજ ઠાકરેએ લખ્યું, "સ્પષ્ટ સૂચના... પક્ષનો કોઈ પણ વ્યક્તિ અખબારો, સમાચાર ચેનલો અથવા કોઈપણ ડિજિટલ મીડિયા સાથે વાતચીત કરશે નહીં.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપે. તેમણે એમ પણ સૂચના આપી હતી કે તેમની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય પોસ્ટ ન કરો.
રાજ ઠાકરેએ X પર પોસ્ટ કરી હતી :- મરાઠીમાં પોતાની X પોસ્ટમાં રાજ ઠાકરેએ લખ્યું, “સ્પષ્ટ સૂચના… પક્ષનો કોઈ પણ વ્યક્તિ અખબારો, સમાચાર ચેનલો અથવા કોઈપણ ડિજિટલ મીડિયા સાથે વાતચીત કરશે નહીં. તેવી જ રીતે, સોશિયલ મીડિયા પર તમારી પ્રતિક્રિયાઓના વીડિયો બિલકુલ પોસ્ટ કરશો નહીં. જે પ્રવક્તાઓને મીડિયા સાથે વાત કરવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ મારી સલાહ લીધા વગર અથવા મારી પરવાનગી લીધા વગર કોઈપણ પ્રકારના મીડિયા સાથે વાત ન કરે. તેમજ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય ન આપવો.
મનસે સમર્થકો પર ‘ગુંડાગીરી’નો આરોપ લગાવવામાં આવી રહ્યો છે
રાજ ઠાકરેનો આ નિર્દેશ એવા સમયે આવ્યો છે જ્યારે મરાઠીને લઈને મનસે સમર્થકો નિશાના પર છે. તાજેતરમાં, મનસે સમર્થકોએ એક રોકાણકારની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, મનસે નેતાના પુત્રએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રાજશ્રી મોરેની કારને ટક્કર મારી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. MNS કાર્યકરો પર ‘ગુંડાગીરી’નો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
MNS નેતાએ એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરી
આ ઉપરાંત, MNS નેતા રોહન પવારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરી હતી. આના પર શિંદે જૂથના સમર્થકો ગુસ્સે ભરાયા હતા. પોલીસે આ કેસમાં FIR પણ નોંધી છે.
રાજ્યમાં ભાષા વિવાદ અંગેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આ પગલું ભર્યું છે. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને મીડિયા સાથે કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવા સૂચના આપી છે.