ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ,
બીજી વાર 1974માં ઉપરાષ્ટ્રપતિ બી.ડી. જત્તીએ તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપ્યું હતું, પરંતુ તેઓ વચગાળાના રાષ્ટ્રપતિની ભૂમિકામાં આવ્યા હતા. અગાઉ વરાહગીરી વેંકટ ગિરીએ પણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય સાથે તેઓ કાર્યકાળ પૂર્ણ કર્યા વિના પદ છોડનારા દેશના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ઇતિહાસમાં અત્યાર સુધી આવું ફક્ત બે વાર બન્યું છે. પહેલી વાર 1997માં ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતના કાર્યકાળ દરમિયાન. તેમણે 21 ઓગસ્ટ, 1997ના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને 27 જુલાઈ, 2002ના રોજ તેમના કાર્યકાળ દરમિયાન તેમનું અવસાન થયું હતું.
બીજી વાર 1974માં ઉપરાષ્ટ્રપતિ બી.ડી. જત્તીએ તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપ્યું હતું, પરંતુ તેઓ વચગાળાના રાષ્ટ્રપતિની ભૂમિકામાં આવ્યા હતા. અગાઉ વરાહગીરી વેંકટ ગિરીએ પણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગિરીનો આ નિર્ણય તે સમયે ચર્ચામાં હતો. જગદીપ ધનખડ 11 ઓગસ્ટ, 2022ના રોજ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષનું અચાનક રાજીનામું એટલું જ આઘાતજનક છે જેટલું તે અકલ્પનીય છે. હું આજે સાંજે લગભગ 5 વાગ્યા સુધી તેમની સાથે ઘણા અન્ય સાંસદો સાથે હતો અને સાંજે 7:30 વાગ્યે ફોન પર તેમની સાથે વાત પણ કરી હતી. “એમાં કોઈ શંકા નથી કે જગદીપ ધનખડે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. પરંતુ તેમના અણધાર્યા રાજીનામા પાછળ દેખીતી બાબતો કરતાં વધુ છુપાયેલું છે. જોકે, આ અટકળોનો સમય નથી.”
તેમણે આગળ લખ્યું હતું કે, ‘ધનખડે સરકાર અને વિપક્ષ બંનેને એકસરખા આડે હાથ લીધા. તેમણે કાલે બપોરે 1 વાગ્યે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે કાલે ન્યાયતંત્રને લગતી કેટલીક મોટી જાહેરાતો પણ કરવાની હતી. અમે તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવીએ છીએ અને તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી પણ કરીએ છીએ. અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે વડાપ્રધાન જગદીપ ધનખડને તેમનો નિર્ણય બદલવા માટે પ્રેરણા આપશે. આ રાષ્ટ્રીય હિતમાં હશે. આ ખાસ કરીને ખેડૂત સમુદાયને મોટી રાહત આપશે.’