અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી મામલે એટલાન્ટાની ફુલ્ટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું
ટ્રમ્પ જેલમાં પહોંચતાની સાથે જ ડઝનબંધ સમર્થકો બેનર અને અમેરિકન ધ્વજ લહેરાવતા ટ્રમ્પની ઝલક જોવા માટે ઉભા થયા હતા

ટ્રમ્પે આત્મસમર્પણ કર્યા બાદ શેરિફ ઓફિસે કહ્યું કે, ટ્રમ્પની ઔપચારિક ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, અધિકારીઓએ કહ્યું કે, તેઓ ફુલ્ટન કાઉન્ટી જેલમાં ટ્રમ્પનો મગ શોટ લેવાની અપેક્ષા રાખે છે. ટ્રમ્પની ચોથી ધરપકડ બાદ ફુલ્ટન કાઉન્ટી જેલે મગ શોટ રિલીઝ કર્યો છે. ટ્રમ્પ અમેરિકાના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે, જેમણે પોતાનો મગશૉટ લીધો છે. ટ્રમ્પે જ્યોર્જિયામાં આત્મસમર્પણ કર્યા બાદ આ તસવીર જાહેર કરવામાં આવી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ વાદળી બ્લેઝર અને લાલ ટાઈ પહેરીને કેમેરા તરફ જોતા જોવા મળે છે.
ટ્રમ્પ જેલમાં પહોંચતાની સાથે જ ડઝનબંધ સમર્થકો બેનર અને અમેરિકન ધ્વજ લહેરાવતા ટ્રમ્પની ઝલક જોવા માટે ઉભા થયા હતા. બહાર ભેગા થયેલા ટ્રમ્પ સમર્થકોમાં જ્યોર્જિયાના યુએસ પ્રતિનિધિ માર્જોરી ટેલર ગ્રીન હતા, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક હતા. એટલાન્ટા વિસ્તારમાં ઉડ્ડયન ઉદ્યોગમાં કામ કરતી 49 વર્ષીય લાઈલ રેવર્થ ગુરુવારે સવારથી 10 કલાક સુધી જેલની નજીક રાહ જોઈ રહી હતી. તેણે કહ્યું કે, મને આશા છે કે તે મને ધ્વજ લહેરાવતા, સમર્થન દર્શાવતા જોશે.
ટ્રમ્પે જ્યોર્જિયા (એટલાન્ટા) જતા પહેલા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ફરિયાદી ફાની વિલિસને નિશાન બનાવ્યા હતા. એ પણ દાવો કર્યો કે તે એટલાન્ટામાં અપરાધ દર માટે જવાબદાર છે. ફાની વિલિસ એ જ અધિકારી છે જેમણે ટ્રમ્પ વિરુદ્ધ ચોથો કેસ દાખલ કર્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ જ્યોર્જિયામાં આત્મસમર્પણ કરશે. તે દિવસે ડિસ્ટ્રિક્ટ એટર્ની ફાની વિલિસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે.
જણાવી દઈએ કે 2020ની યુએસ ચૂંટણીના પરિણામોને પલટવા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની તપાસ કરી રહેલા વિશેષ વકીલ દ્વારા 45 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પ પર 4 આરોપો લગાવવામાં આવ્યા હતા. 1- યુનાઇટેડ સ્ટેટ્સને છેતરવાનું કાવતરું, 2- સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ લાવવાનું કાવતરું, 3- સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ અને અવરોધ કરવાનો પ્રયાસ. 4- અધિકારો વિરુદ્ધ ષડયંત્ર.
આરોપમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના ચૂંટણી જીતવાના દાવા ખોટા છે. તે જાણતા હતા કે તેમના દાવા ખોટા હતા, છતાં તેને પુનરાવર્તિત કર્યા અને તેને વ્યાપકપણે પ્રસારિત કર્યા. તેમણે આવું દેશમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા, જનતાને ઉશ્કેરવા અને ચૂંટણી પ્રશાસનમાં જનતાના વિશ્વાસને ડહોળવા માટે કર્યું હતું. ફેડરલ પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ષડયંત્ર દ્વારા સત્તામાં રહેવા માંગતા હતા.