ભારત
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વચ્ચે તબીબો પણ એર પોલ્યૂશનને લઈને સતત ચેતવણી આપી રહ્યા છે.
બ્રેઈન અને હાર્ટ સ્ટોકમાં થયો વધારોઃ ડો. ગુપ્તા

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વચ્ચે તબીબો પણ એર પોલ્યૂશનને લઈને સતત ચેતવણી આપી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા દિલ્હી AIIMSમાં ન્યુરો સર્જરીના નિષ્ણાંત ડો. વિપુલ ગુપ્તાએ જણાવ્યું કે, રિસર્ચમાં સામે આવ્યું છે કે, એર પોલ્યૂશનની અસર માત્ર ફેફસાં પર જ નહીં, પરંતુ હૃદય અને મગજ પર પણ પડે છે.
ડો.ગુપ્તાએ કહ્યું કે, 2015માં WHOએ કહ્યું હતું કે લગભગ 20 ટકા સ્ટ્રોકના કેસ આવી રહ્યા છે. લગભગ 20થી 25 ટકા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આમાં પ્રદૂષણ પણ એક કારણ છે. આપણે હજુ પણ એર પોલ્યૂશનને ઈગ્નોર કરી રહ્યા છીએ. માત્ર 10 માઈક્રોગ્રામ PM 2.5 વધવાથી જ 10 ટકા સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તાજેતરમાં AQI 700થી ઉપર જઈ રહ્યો છે. આ આપણા શરીર પર ઘણી અસર કરે છે. ઘરની અંદર પણ પ્રદૂષણની અસર રહે છે. જે લોકોને પહેલાથી જ વધુ રિસ્ક છે, તેઓએ સારી ક્વોલિટીના એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ. ઘર બંધ રાખવું જોઈએ. એર પ્યુરિફાયર સ્ટ્રોન્ગ રાખવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કારણે લોકો આંખોમાં બળતરા, છાતીમાં બળતરા, ગળામાં ખરાશની ફરિયાદ કરી રહ્યા છે. ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. ટેન્કરો દ્વારા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી ધૂળ ઓછી થાય અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સુધરે, પરંતુ આ વ્યવસ્થાઓ અસરકારક સાબિત થઈ રહી નથી. દિલ્હીનો સરેરાશ એક ક્વોલિટી ઈન્ડેક્સ 400થી ઉપર રહે છે.
Poll not found



