ગુજરાત

સુરત સચિન GIDCની એથર કંપનીમાં લાગી હતી આગ , કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન મળ્યા મૃતદેહ

સંચાલકો, પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી

સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી.  સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

મળતી માહિતી અનુસાર, સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. બનાવ સમયે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાત્રે ૨:૨૪ વાગે સુરત ફાયરબ્રિગેડને જાણ કરતા પાંચ સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button