વસુંધરા રાજેએ ધારાસભ્યોની સાથે બેઠક શરૂ કરી દીધી છે અને વાત ફક્ત બેઠક સુધી જ નથી રહી. આ મામલો ધારાસભ્યોના ડિનર સુધી પણ પહોંચી ગયો છે.
વસુંધરા રાજેએ ધારાસભ્યો સાથે શરૂ કરી બેઠક , ડિનર પોલિટિક્સ દ્વારા દિલ્હીને આપવા માંગે છે સંદેશ ડિનર માટે ઘરે પહોંચ્યા ઘણા ધારાસભ્યો

ચુંટણી પરિણામ રાજસ્થાનમાં આવી ચુક્યા છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. 199માંથી 115 સીટો પર ભાજપ જીતે છે તો ત્યાં જ 69 સીટો પર કોંગ્રેસને જીત મળી છે. એવામાં હવે પાર્ટીની સામે સૌથી મોટો પડકાર છે કે મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે. સીએમ પદની આ રેસમાં ઘણા નામ સામે આવી રહ્યા છે. ચર્ચા છે કે ભાજપ નેતૃત્વ બાલકનાથના નામ પર વિચાર કરી રહ્યા છે તો ત્યાંજ બીજી બાજુ પૂર્વ સીએમ રહી ચુકેલી વસુંધરા રાજે પણ પોતાના ત્યાં ધારાસભ્યોને નિમંત્રણ આપીને દિલ્હીને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યાં બાબા બાલકનાથ ગઈકાલે દિલ્હીમાં BJP મુખ્યાલય પહોંચ્યાં ત્યાં જ વસુંધરા રાજેએ ધારાસભ્યોની સાથે બેઠક શરૂ કરી દીધી છે અને વાત ફક્ત બેઠક સુધી જ નથી રહી. આ મામલો ધારાસભ્યોના ડિનર સુધી પણ પહોંચી ગયો છે. વસુંધરા રાજેએ સોમવારે સાંજે ઘણા ધારાસભ્યોને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા છે.
જયપુરમાં વસુંધરા રાજે આવાસની અંદર જતા બીજેપી ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ કહ્યું કે વસુંધરા રાજેને સીએમ બનાવવા જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે તે પાર્ટીના નિર્ણયની સાથે છે. તેના ઉપરાંત BJPના નવનિર્વાચિત જહાજપુરથી આવનાર ધારાસભ્ય ગોપીચંદ મીણાએ વસુંધરા રાજે સાથે મુલાકાત કરી અને કહ્યું કે લોકો વસુંધરા રાજેને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે.
વ્યાવરથી આવનાર ધારાસભ્ય સુરેશ રાવત પણ વસુંધરાના આવાસ પર પહોંચ્યા. તેમણે કહ્યું કે વસુંધરાએ પહેલા ખૂબ જ સારૂ કામ કર્યું છે પરંતુ હાઈકમાન જેને સીએમ બનાવે તે જ બનશે. અમે પાર્ટીની સાથે છીએ. પિન્ડવારાથી જીતેલા બીજેપી ધારાસભ્ય સમારા ગરાસિયાએ કહ્યું કે અમને લોકોને ડિનર પર બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ધારાસભ્ય કાલીચકણ સરાફ, બાબુ સિંહ રાઠૌડ, પ્રેમચંદ બૈરવા, કાલીચરણ સરાફ, રામસ્વરૂપ લાંબા, ગોવિંદ રાનીપુરિયા, લલિત મીના, કંવરલાલ મીના, રાધેશ્યામ બૈરવા, કાલુલાલ મીના, ગોપીચંદ મીના, પ્રતાપ સિંહ સિંધવી, બહાદુર સિંહ કોલી, શંકર સિંહ રાવત મંજૂ બાગમાર, વિજયપાલ સિંહ અને અન્ય ધારાસભ્યોએ કાલે સાંજથી જયપુરના 13 સિવિલ લાઈન્સ બંગ્લામાં વસુંધરા રાજે સાથે મુલાકાત કરી હતી.



