બ્રેકીંગ ન્યુઝ
અયોધ્યામાં રામમંદિરમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલ રામચરિત માનસના દર્શન શરૂ ,
સ્વર્ણાક્ષરોની લખવાની વાત માત્ર રૂઢિપ્રયોગ જ નથી બલકે તેને અસલમાં બનાવીને દેખાડયું છે
ચૈત્ર રામનવમીના યજમાનની પ્રતીક્ષા મંગળવારે પુરી થઈ હતી. આ યજમાન મધ્યપ્રદેશ કેડરના પુર્વ આઈએએસ અધિકારી છે. ત્યારબાદ બુધવારની સવારથી રામભકતોએ રામલલાના ચરણોમાં સ્થાપિત દોઢ કવીન્ટલ વજનના સોનાના અક્ષરોથી અંકિત રામચરિત માનસના દર્શન કર્યા હતા. આ દરમિયાન સવારથી જ રામલલા દરબાર જય શ્રીરામના ઉદઘોષથી ગુંજતો રહ્યો હતો. સ્વર્ણાક્ષરોની લખવાની વાત માત્ર રૂઢિપ્રયોગ જ નથી બલકે તેને અસલમાં બનાવીને દેખાડયું છે. પુર્વ આઈએએસ અધિકારી અને તેમના પત્નીએ તેમના પ્રયાસથી તામ્રપત્ર પર ઉપસાવવામાં આવેલ સોનાના અક્ષરોવાળી રામાયણને રામલલાની સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવી છે.
[democracy -id="2"]



