જંત્રાખડીના દૂષ્કર્મના કેસમાં આરોપીને ફાંસીની સજા રાજ્યમાં પોક્સો કેસમાં 32 પરિવારોને ન્યાય ,
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 25 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 25 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજયમાં છેલ્લા 32 દિવસમાં પોકસોના 32 જેટલાં કેસોમાં કોર્ટ દ્વારા ચુકાદા આપતાં, 32 પરિવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. રાજયની તમામ મહિલાઓની સુરક્ષાને રાજય સરકાર પ્રાથમીકતા આપી રહી છે. જેના કારણે દુષ્કર્મોના કેસોમાં સંડોવાયેલા નરાધમોને કડકમાં કડક સજા થાય એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ રોહીતપુરી ગોસાઈ સહિત સાધુ સમાજના આગેવાનો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની મુલાકાતે આવ્યા હતા અને સમગ્ર સમાજ વતી મુખ્યમંત્રી અને રાજય સરકારનો આભાર માન્યો હતો. દરમ્યાનમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકામાં જે ઘટના બની છે. તે ઘટના ખુબ ગંભીર છે. આ ઘટનાથી ગોસ્વામી સમાજ અને ગુજરાતના નાગરિકોમાં રોષ સ્વાભાવિકપણે જોવા મળ્યો હતો. ગુજરાતના નાગરિકોની માંગ હતી કે આવા નરાધમને ઝડપી ફાંસીની સજા થાય તે પુર્ણ થઈ છે.
સમાજના અગ્રણીઓ સાથે ઘટના બન્યા બાદ રાજકોટમાં મુલાકાત થઈ હતી. જેમાં સીટની રચના કરવામાં આવી હતી. આ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઈ તમામ સાંયોગીક પુરાવા એકઠા કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ રીતે આ નરાધમને ફાંસીની સજા અપાવવાનું વચન રાજય સરકારે પાળ્યું છે. રાજયમાં એક પણ ઘટના ન બને અને જો ઘટના બને તો પરિવારને ઝડપથી ન્યાય મળે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી છે.



