બ્રેકીંગ ન્યુઝ
કેજરીવાલ સામે સુનાવણીને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરશે. સીબીઆઈ પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે ,
સીબીઆઈએ શુક્રવારે દિલ્હીની એક અદાલતને જણાવ્યું હતું કે, તેણે કથિત આબકારી કૌભાંડ સંબંધીત ભ્રષ્ટાચારના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક પર કેસ ચલાવવાની મંજુરી મેળવી લીધી છે.
સીબીઆઈએ શુક્રવારે દિલ્હીની એક અદાલતને જણાવ્યું હતું કે, તેણે કથિત આબકારી કૌભાંડ સંબંધીત ભ્રષ્ટાચારના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક પર કેસ ચલાવવાની મંજુરી મેળવી લીધી છે.
તપાસ એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં મંજુરી પત્ર દાખલ કર્યો છે. સીબીઆઈએ કેજરીવાલની 26 જૂને ધરપકડ કરી હતી. તપાસ એજન્સી કેજરીવાલ સામે અગાઉથી જ પુરક આરોપપત્ર દાખલ કરી ચૂકી છે. અદાલત 27 ઓગષ્ટે આ મુદે વિચાર કરશે. ચાર્જશીટ પર અદાલત દ્વારા જાણકારી લેતા પહેલા કેજરીવાલ પર કેસ ચલાવવા માટે મંજુરી જરૂરી હતી.
હવે અદાલત કેજરીવાલ સામે સુનાવણીને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરશે.
Poll not found



