જાણવા જેવું

જાપાનનાં વૈજ્ઞાનિકોએ બનાવ્યું કૃત્રિમ લોહી : દર્દીનો જીવ બચાવી શકાશે .

આ આર્ટિફિશીયલ લોહી કોઈપણ બ્લડ ગ્રુપમાં ચડાવી શકાય છે : તેમાં સંક્રમણનો પણ કોઈ ખતરો નથી ,

જાપાનમાં વૈજ્ઞાનિકોએ આર્ટિફીશીયલ બ્લડ (કૃત્રિમ લોહી) બનાવ્યુ છે જે કોઈપણ બ્લડ ગ્રુપનાં વ્યકિતને ચડાવી શકાય છે અને તેને ફ્રીઝમાં પણ રાખવાની જરૂર છે કે આ લોકોનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ઈમરજન્સીમાં સહારો થઈ શકે છે.

લોહી ચડાવતા પહેલા બ્લડ ગ્રુપ મેળવવુ પડે છે અને તેમાં સમય પણ લાગી શકે છે. કયારેક ખરૂ બ્લડ ગ્રુપ નથી પડતુ હોતુ અને દર્દીનો જીવ ખતરામાં આવી જાય છે. હવે આ આર્ટિફિશીયલ બ્લડ કોઈપણ બ્લડ ગ્રુપમાં ચડી શકે છે.

આ ઉપરાંત તેમાં કોઈપણ વાયરસ કે સંક્રમણનો ખતરો નથી રહેતો. વૈજ્ઞાનિક આ લોહીનું માણસ પર ટ્રાયલ કરી રહ્યા છે હજુ સુધી કોઈ મોટી સાઈટ ઈફેકટ નથી જણાઈ તેમાં બ્લડ ગ્રુપની ઓળખ કરનાર માર્કર નથી લેતું એટલે દર્દીને આપી શકાય છે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button