મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રનાસંજય રાઉત મુખ્યમંત્રી જલદી બદલાશે
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અજિત પવાર બનશે તે નિશ્ચિત છે

એકનાથ શિંદે અને 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે
મુંબઈ ગઈકાલે મહારાષ્ટ્રમાં મોટો પોલિટિકલ ટવીસ્ટ આવ્યો હતો. એકાએક એનસીપી નેતા અજિત પવાર તથા અન્ય ૮ ધારાસભ્યો શિંદે ભાજપ સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
ત્યારે આજે શિવ સેના નેતા અને સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શિવાજી મહારાજના રાજ્યમાં આ પ્રકારની પરંપરા ક્યારેય નથી રહી. પરંતુ આગામી સમયમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અજિત પવાર બનશે તે નિશ્ચિત છે. એકનાથ શિંદે અને ૮ ધારાસભ્યો સામે એક ડીસકવોલીફિકેશન કેસ ચાલી રહ્યો છે જે તેઓ હારશે, તેથી તે ગેરલાયક થશે.
[democracy -id="2"]



